SearchBrowseAboutContactDonate
Page Preview
Page 338
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૯ તૃતીય પ્રકાશ કેટલોક સમય ગયા પછી તે સુમંગલા આચાર્ય શ્રુતના ઉપયોગથી પિતાનું આયુષ્ય પૂર્ણ થવાનો અવસર જાણું અને એક વિશિષ્ટ ગુણવાળા શિષ્યને સૂરિપદે સ્થાપી પિતે સંલેખના કરી કાલની રાહ જોઈ રહ્યા હતા, તે વખતે શિષ્ય શુભયાનો પગત ગુરુની નિર્ધામણા કરતાં આ પ્રમાણે બોલ્યા-“હે સ્વામી વ્રત ગ્રહણ કર્યા પછી આજ સુધીમાં જે કાંઈ પ્રમાદસ્થાન સેવ્યું હોય તે આપ આલેવા-પડિમો.” શિષ્યના આ કથનથી સૂરિએ યોગપટ્ટ ધારણ કરવા સિવાયના બીજા જે જે પ્રમાદના સ્થાન હતા તે આવ્યા અને પડિમ્યા. ત્યારે શિષ્યોએ કહ્યું : “સ્વામી ! યગપટ્ટ ધારણને પ્રમાદ પણ આવો.” શિષ્યનું આ વચન સાંભળી આચાર્ય કોપાનળથી પ્રજ્વલિત થઈ બોલ્યા- “અરે શિષ્ય ! તમારી મતિ દુનિીત છે, જેથી તમે અદ્યાપિ ગપટ્ટથી થયેલા મારા દુષણને ગ્રહણ કરે છે. આ પ્રમાણે ગુરુને કોપાયમાન થયેલા જાણી તેઓ વિનયપૂર્વક બોલ્યા- “સ્વામી ! અમારો અપરાધ ક્ષમા કરે. અમેએ અજાણતાં તમને અપ્રીતિવચન કહેલું છે, આજથી હવે અમે બેલીશું નહીં.” શિષ્યના આ વચનથી સૂરિનો કેપ શાંત થઈ ગયો, પણ તેમનું ધ્યાન ગપટ્ટને વિષે રહ્યું. તેઓ આ પ્રમાદસ્થાનને આવ્યા વિના કલ કરી ગયા. તે પછી તેઓ એ દોષને લઈને કુડાગારનગરના રાજા મેઘરથની વિજયા નામે દેવીના ઉદરમાં ગભ પણે ઉત્પન્ન થયા. પ્રસવ સમયે જેના પગ કરી પર વીંટાએલા ચામડા પદે બાંધેલા છે, એ તે પુત્ર ઉત્પન્ન થયો. રાજાએ તેને જન્મોત્સવ કર્યો અને બારમે દિવસે તે પુત્રનું નામ દઢરથે પાડયું. પાંચ ધાત્રીઓથી લાલન કરાતો તે બાળક જ્યારે આઠ વર્ષનો થયો ત્યારે તેને કલાચાર્યને મેં અને તે અનુક્રમે બતર કલામાં પ્રવીણ બની ગયો. તે કલાઓમાં તે સંગીતકળામાં વિશેષ નિપુણ થયો. કુમાર દઢરથને સંગીતકળામાં વિશેષ નિપુણ જાણી ઘણું ગંધ પિતપતાની કલા બતાવવાને તેની પાસે આવવા લાગ્યા. તે ચતુર કુમાર એટલે બધે સંગીતકુશલ હતું કે જેથી કોઈ પણ ગાયક તેના મનને રંજન કરવા સમર્થ થઈ શકતો નહીં. રાજકુમાર દઢરથે ઉંચી જાતના સંગીતને જાણનારા ગાયકેની કદર કરતા. તેમને ઘણું દ્રવ્ય આપી સંતોષ પમાડતે હતો, તેથી તેઓ તેનાથી સંતોષ પામી દેશ-દેશાંતરમાં તે દઢરથની કીર્તિને વિસ્તારતા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy