SearchBrowseAboutContactDonate
Page Preview
Page 267
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪૮ શ્રી આત્મપ્રબંધ એક વખતે આ વૃત્તાંત સાંભળી ગે શાલ તે સાલપુત્રને જૈનધર્મમાંથી. ચલિત કરવા અને પોતાના ધર્મમાં લાવવા આજીવિક સંઘથી પરિવૃત્ત થઈ છે. નગરમાં આવ્યો. તે નગરની અંદર આજીવિકની સભામાં પોતાના ઘડાઓ મુકી કેટલાએક નિયતવાદી મતવાલાઓને સાથે લઈ તે સદાલની સમીપે આવ્યો. સદાલપુત્રે ગોશાલાને આવતો જોયો પણ તેને આદરસત્કાર કર્યો નહીં. તે મૈનધરીને જ બેસી રહ્યો. સદાલપુત્રે પોતાનો આદર કર્યો નહીં, તે છતાં પીઠફલકાદિકને માટે તે શ્રાવકની આગલ શ્રી વીરપ્રભુને ગુણેનું કીર્તન તેણે કરવા. માંડયું. તેણે કહ્યું, હે દેવાનુપ્રિય, અહિ મહામાહણ, મહાપ, મહા સાથે વાહ, મહાધર્મકથક, અને મહાનિર્ધામક આવ્યા હતા ? ” સદાલપુત્રે કહ્યું, “હે દેવાનુપ્રિય, એવા કોણ છે?" ત્યારે શાલે કહ્યું, “તેવા શ્રી શ્રમણ ભગવંત મહાવીરસ્વામી.” શ્રાવક સદાલપુત્રે કહ્યું, “તે એવી ઉપમાના ધારક કેમ છે? " ત્યારે ગોશાલે કહ્યું, “હે સદાલપુત્ર, શ્રી વીરસ્વામી અનંત જ્ઞાનાદિકના ધારક હાવાથી અને ચોસઠ ઇંદ્રિોને પૂજવા યોગ્ય હોવાથી મહામાહણ કહેવાય છે. આ સંસાર રૂપ અટવીમાં ત્રાસ પામતા એવા બહુ જીવોને ધર્મમય દંડે કરી રક્ષણ કરનાર અને નિર્વાણ પાદરૂપ મોટા વાડાને પમાડનાર હોવાથી તે મહાપ કહેવાય છે. આ સંસારરૂપ અટવીમાં ઉન્માગે પડતાં જીવોને મુક્તિના નગરમાં લઈ જનાર હોવાથી તે મહાસાર્થવાહ કહેવાય છે. સન્માગથી ભ્રષ્ટ થયેલા ને અનેક પ્રકારના અથ–હેતુવડે સન્માર્ગે લાવી સંસારથી વિસ્તાર કરનાર હોવાથી તે ધર્મકથક કહેવાય છે. આ સંસાર સમુદ્રમાં ડુબતા એવા પ્રાણીઓને ધમમચી નાવિકાવડે નિર્વાણરૂપ નગરના કાંઠાની સન્મુખ કરવાથી તે મહાનિર્ધામક કહેવાય છે.” ગોશાલાના આવા વચન સાંભળી સદાલકે કહ્યું, હે દેવાનુપ્રિય, નિપુણ, નયવાદી અને વિજ્ઞાનવાન એવા મારા ધર્માચાર્ય શ્રી વિરપ્રભુની સાથે તમે વિવાદ કરવા સમર્થ છે?” ગે શાલે કહ્યું, “હું સમર્થ નથી.” સદાલપુત્રે કહ્યું, “તમે કેમ સમર્થ નથી?' શાલે બોલ્યા–“મહાવીરસ્વામી મારી પ્રત્યે અથ–હેતુ પક્ષે કરી જ્યાં જ્યાં ગ્રહણ કરે છે, ત્યાં ત્યાં મને નિરૂત્તર કરે છે, તેથી હું તેમની સાથે વિવાદ કરવાને સમર્થ નથી.” સદાલપુત્રે કહ્યું, “દેવાનુપ્રિય, તું મારા ધર્માચાર્યનું આ પ્રમાણે ગુણાત્કીર્તન કરે છે, માટે હું પીઠફલાદિવડે તને નિમંત્રણ કરું છું, પરંતુ ધર્મને માટે નિમંત્રણ કરતો નથી. તમે મારી કુંભકારની દુકાને જાઓ અને પીઠાદિક ગ્રહણ કરીને વિચરે.” તે શ્રાવકના આવા વચનથી ગેશા પીઠાદિક ગ્રહણ કરીને ત્યાં રહ્યો હતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy