SearchBrowseAboutContactDonate
Page Preview
Page 265
Loading...
Download File
Download File
Page Text
________________ २४६ શ્રી આત્મપ્રબંધ વડે આ ઋદ્ધિ પ્રાપ્ત થઈ, એમ કહે તે ગોશાલાના ધર્મની પ્રજ્ઞપ્તિ સુંદર છે, ઇત્યાદિ તેં જે કહ્યું, તે મિથ્યા છે. જ્યારે તે શ્રાવકે આ પ્રમાણે કહ્યું, એટલે તે દેવ શંકા પામી તે શ્રાવકને પ્રત્યુત્તર આપવાને સમર્થ થઈ શક્યો નહીં. પછી તેની મુદ્રા અને ઉત્તરાસંગવસ્ત્ર પૃથ્વીની શિલાના પટ ઉપર મૂકી તે દેવ પિતાને સ્થાને ચાલ્યો ગયો. તેવા અવસરમાં શ્રી વીરપ્રભુ તે સ્થલે સમોસર્યા. તે ખબર જાણી કંડોલિક પ્રાતઃકાલે પ્રભુની સમીપે ગયો. તે પછી બધે વૃત્તાંત કામદેવ શ્રાવકની પ્રમાણે જાણી લેવો. વિશેષમાં એટલું કે અથ હેતુના પ્રશ્નાદિકથી અન્ય તીથીઓને નિરૂત્તર કરવાથી શ્રી વિરપ્રભુએ તે કુંડલિક શ્રાવકની પ્રશંસા કરી, ત્યારે કુંડલિકે ચૌદ વર્ષ પછી પૂર્વના શ્રાવકની જેમ જ્યેષ્ઠ પુત્રને કુટુંબમાં સ્થાપી પોતે પિષધશાળામાં રહી શ્રાવકની અગીઆર પડિમા આરાધી હતી. તે પછી એક માસની સંલેખનાથી સમાધિપૂર્વક કાળ કરી તે પહેલે દેવલેકે અરૂણભવિમાનમાં દેવપણે ઉત્પન્ન થયો. ત્યાંથી વીને તે મહાવિદેહ ક્ષેત્રને વિષે સિદ્ધિ પદને પામશે. એ રીતે કુંડલિકને વૃત્તાંત છે. સાતમા સાલપુત્ર શ્રાવકને વૃત્તાંત. પિલાસપુરનગરને વિષે સદાલપુત્ર નામે એક કુંભકાર શ્રાવક રહેતો હતો. તે શાલાનો સેવક હતો. તેને અગ્નિમિત્રા નામે સ્ત્રી હતી. તેની પાસે ત્રણ કોટી નૈયાનું દ્ર હતું. તેમાં એક કોટી દ્રવ્ય નિધાનમાં, એક કેટી વ્યાજમાં અને એક કટી વ્યાપારમાં રહેતું હતું. તેને દશહજાર ગાયોવાળું એક ગોકુલ હતું તેના તાબામાં કુંભારની પાંચસો દુકાન હતી. એક વખતે સદાલપુત્ર મધ્ય રાત્રે અશક વાડીમાં આવી ગેમશાલાએ કહેલા ધર્મધ્યાનનું ધ્યાન કરતો હતો તે વખતે એક દેવે પ્રગટ થઈને તેને આ પ્રમાણે કહ્યું–“હે દેવાનુપ્રિય, અહિં મહામાહણ, જેને જ્ઞાન દશન ઉત્પન્ન થયું છે તેવા, શાનદશનના ધરનાર અને ત્રિકાલને જાણનાર અરિહંત પ્રભુ આવશે, તેમને તારે વંદના કરવી અને તેમની પ્રતિષત્તિ કરવી." આ પ્રમાણે દેવતા બે ત્રણવાર કહી પિતાને સ્થાને ચાલ્યો ગયો. તે દેવતાનું આ વચન સાંભળી તે સદાલપુત્ર પિતાના મનમાં ચિંતવ્યું કે આ દેવતાએ જે ગુણો કહ્યા, તેવા ગુણવાળા તો મારા ધર્માચાય ગોશાલો છે. તે નિત્યે પ્રાતઃકાલે અહિં આવશે, તે વખતે હું તેમને વંદન કરીશ.” આ પ્રમાણે તે શેઠ વિચાર કરવા લાગ્યો. પ્રાતઃકાલ થતાં શ્રી વીરભગવાન ત્યાં સમોસર્યા. તે ખબર જાણી સદાલ પોતાના પરિવાર સાથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy