SearchBrowseAboutContactDonate
Page Preview
Page 237
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ શ્રી આત્મ પ્રબંધ તેમના હૃદયમાં વૈરાગ્ય ભાવના પ્રગટ થઈ આવી. તેમણે આ સંસારના ક્ષણિક સ્વરૂપનો વિચાર કર્યો. પ્રત્યેક બુદ્ધપણાથી તેણે સર્વ સંસારને અસાર જોઈ તત્કાળ દીક્ષા ગ્રહણ કરી રાજા દમદંત ત્યાંથી વિહાર કરી ચાલી નીકળ્યા. ગામોગામ વિહાર કરતાં તેઓ હસ્તિનાપુરની પાસે આવ્યા. ત્યાં તે નગરના દરવાજા પાસે તેઓ કાયોત્સગ ધ્યાને રહ્યા. તેવામાં પાંડવો રાજવાડીએ જવા નીકળ્યા. તે વખતે તે મુનિ તેમના જોવામાં આવ્યા. પાંડવોએ પોતાના સેવકોને પૂછયું કે, “આ મુનિ કોણ છે?? સેવકોએ તપાસ કરીને કહ્યું, “તે દમદંત રાજર્ષિ છે. તે સાંભળતાં જ પાંડવો તત્કાલ અશ્વ ઉપરથી નીચે ઉતરી ત્યાં આવ્યા અને તે મહર્ષિને ત્રણ પ્રદક્ષિણા કરી નમન કર્યું અને તેમને ઉભય પ્રકારના બળની પ્રશંસા કરી ત્યાંથી આગળ ચાલ્યા. ક્ષણવાર પછી તે માગે કૌરવો નીકળ્યા. તેમાંથી વૃદ્ધ એવા દુર્યોધને તે મુનિને જોઈ સેવક પાસે તપાસ કરાવી. સેવકે દમદંતમુનિનું નામ આપ્યું, એટલે દુર્યોધને કહ્યું કે, અરે ! આ તે આપણે શત્રુ છે. તેનું મુખ પણ જેવું યોગ્ય નથી. ઇત્યાદિ દુર્વાક્યોથી મુનિનો તિરસ્કાર કરી તે સાધુ તરફ એક બીજેરાના ફળનો ઘા કરી તેઓ આગળ ચાલતા થયા. તે પછી તે કૌરવોની પાછળ ચાલતા તેમના સૈનિકોએ “યથા રાજા તથા પ્રજા” એ કહેવત પ્રમાણે લાકડા, ધૂળ અને પાષાણ વગેરે તે મુનિ તરફ ફેંકચા, જેથી કરીને તે મુનિની પાસે માટે એક ઢગલો થઈ ગયો. પાંડવો સ્વેચ્છા પ્રમાણે વનમાં કીડા કરી પાછા ફર્યા, તેવામાં તેમણે તે મુનિની પાસે મોટો પાષાણ વગેરેને ઢગલો જોયા. તે વિષે લોકોને પૂછતાં તેવું કામ કૌરવોએ કર્યું છે, એ તેમના જાણવામાં આવતાં ખેદ પામી તેમણે તે પાષાણ વગેરેના ઢગલાને ત્યાંથી દૂર કરી દીધો અને પછી તે દમદંત મહર્ષિને વિધિપૂર્વક વંદના કરી પછી પિતાને સ્થાને ચાલ્યા ગયા હતા. આવી રીતે પાંડવોએ સત્કાર કરેલા અને કૌરવોએ અપમાન કરેલા પણ તે દમદંત મુનિએ તે બંનેની ઉપર સમભાવને ધારણ કર્યો હતો. કોઈની ઉપર રાગ કે દ્વેષ રાખ્યો ન હતો. તે પછી ચિરકાલ પયત ચારિત્રની આરાધના કરી તે મહામુનિ પ્રાંતે ઉત્તમ ગતિના ભાજન થયા હતા. આ દમદંત મહર્ષિની કથા જાણું દરેક આત્મિક ગુણના ઇછુક પુરૂષોએ સ્થિર પરિણામે સામાયિક આચરવું. અહીં આ પ્રમાણે ભાવના છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy