SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ २०६ શ્રી આમ પ્રાધ જવ, ચણા, ઘઉં, મગ, અડદ, કરટી પ્રમુખનો સાથે કર, દાળ, કણિક અને તંદુલ કરવા, તે સફેટકકમ કહેવાય છે. અથવા હળે કરીને જમીન ફેડવી. પાણુને મારવા કૂટવા લાકડીઓના પ્રહાર કરવા ઈત્યાદિ પણ ફેટકમર કહેવાય છે.” પ્રથમથી બ્લેચ્છ વગેરે લેકને મોકલી હાથીના દાંત મંગાવીને વેચવા અથવા જે ખીણમાં તે હાથીના જીવો પેદા થતા હોય ત્યાં પોતે જઈ દાંત લાવીને વેચવા તે દંતવાણિજ્ય કહેવાય છે. ઉપલક્ષણથી શંખ, ચામડું, ચામર વગેરે પણ જાણી લેવા તેનો વેપાર કરવો તે પણ દંતવાણિજ્ય કહેવાય છે. ખીણ સિવાય બીજે ઠેકાણેથી દેતાદિક વેચવામાં કે લેવામાં દોષ નથી. (૭) લાખનો વેપાર કરે તે લાખવાણિજ્ય, ઉપલક્ષણથી ગળી, મણશીલ આદિ અથવા મનહર ધાન્યાદિક પણ જાણી લેવા. (૮) ઘી, તેલ, મદિરા, મધ, ચરબી, આદિનું વેચવું તે રસવાણિજ્ય કહેવાય છે. (૯) સીંગડીઓ વછનાગ, અફીણ, સોમલ પ્રમુખ વેચવાં, તે વિષવાણિજ્ય કહેવાય છે. લેહ, હડતાળ પણ ઘણું જીવના ઘાતક છે, માટે તે ઉપલક્ષણથી જાણવા. (૧૦) દાસી, ગાય, ભેંસ, ઊંટ વગેરેને વેચવા તે કેશવાણિજ્ય કહેવાય છે. (૧૧) તલ, શેરડી, આદિને યંત્ર કરીને પિલવા, પિલાવવા તે યંત્રપલણ કર્મ કહેવાય છે. (૧૨) બળદ, ઘોડા વગેરે ખસી કરવા, નાક વીંધવા અને કાન તથા કંબલ વગેરેનું છેદન કરવું, તે નિલકમ કહેવાય છે. (૧૩) તૃણાદિકની વૃદ્ધિને માટે અથવા ક્ષેત્ર વગેરેને શોધવા માટે જે અગ્નિ લગાડવો તે દવદાનકર્મ કહેવાય છે. (૧૪) ગેધૂમ વગેરેના લાભ માટે કહ, સરવર વગેરે સુકવવા, તે શેષણ કર્મ કહેવાય છે. (૧૫) અસતી-દુઃશીલ દાસી, બીલાડી પ્રમુખ જાનવરનું પોષણ કરવું, તે અસતીપોષણકર્મ કહેવાય છે. અહીં ઉપલક્ષણથી શુક, સારિકા, કતરા આદિ અધમ પ્રાણીઓનું પિષણ જાણી લેવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy