SearchBrowseAboutContactDonate
Page Preview
Page 171
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૨ શ્રી આત્મ પ્રબંધ (૧૦) દશાવકાશિક (૧૧) પિષધ અને (૧૨) અતિથિ સંવિભાગ એ ચાર શિક્ષાત્રત એ સવ મળી બારવ્રત કહેવાય છે. કહ્યું છે કે, 'urfણવા *મુમાવી દત્ત મેળા પરિપદે વ . 'હિતિ મા લંડ સમરૂ “ તદ્દ “વિમાનો !” અહીં આ પ્રમાણે ભાવતાં સમ્યકત્વના લાભ પછી ગૃહસ્થ પ્રાણાતિપાતાદિક આરંભની નિવૃત્તિથી સદગતિ પામવારૂપ ગુણોને જાણતા સતા બારવ્રત ગ્રહણ કરે છે. તે બારવ્રતમાં સર્વ સારભૂત પ્રાણવધની નિવૃત્તિ છે, તેથી તેને જૈન શાસનમાં પ્રથમ કહેલું છે. પ્રાણીઓના વધથી વિરમવું, તે પ્રાણિવધ વિરમણ અથવા પ્રાણાતિપાત વિરમાણઅહિંસાત્રત કહેવાય છે. જીવદ્રવ્યનું અમૃતપણું છે, માટે તેની હિંસા થવી અયોગ્ય છે, તેથી સર્વ પ્રાણીઓના દશ પ્રાણને વિનાશ કરે, તે હિંસા કહેવાય છે. તેને માટે લખ્યું છે કે, "पंचेंद्रियाणि त्रिविधं बलं च उच्छ्वास निःश्वासमथान्यदायुः । प्राणा दशैते भगवद्भिक्तास्तेषां वियोगी करणं तु हिंसा ॥१॥" પાંચ ઈન્દ્રિયો, ત્રણ બળ, શ્વાસોચ્છુવાસ અને આયુષ્ય એ દસ પ્રાણ ભગવંતે કહેલા છે, તેમનો વિયેગ કરવો, તે હિંસા કહેવાય છે.” (૧) તે પ્રાણને વિયોગ ન કરવો તે રૂપ જે વ્રત તે અહિંસાત્રત કહેવાય છે. જૈનધર્મનું મૂળ જીવદયા છે, તેથી સર્વત્રને વિષે અહિંસા વ્રતને પ્રથમ ગણવામાં આવેલું છે. તેને માટે કહ્યું છે કે-- " इकंचिअ इत्थवयं निदिटं जिणवरेहि सम्वेहिं ।। पाणाइवाय विरमणं अवसेसा तत्स रखठा ॥१॥" સર્વ જિનેશ્વરોએ જિનશાસનમાં પ્રાણાતિપાત વિરમણ એ એક જ વ્રત કહેલું છે. બાકીના જે બીજા વ્રત કહેલા છે, તે પહેલા વતની રક્ષાને માટે છે. (૧) આ સંપૂર્ણ વીશવિધા પ્રમાણવાળી દયા સાધુઓને હોય છે અને શ્રાવકોને સવાવિધા પ્રમાણ દયા હોય છે. તેને માટે કહ્યું છે કે, "थूला सुहुमा जीवा संकप्पारंभओ अ ते दुविहा । सावराह निरवराहा साविखाचेव निरविखा ॥१॥" સૂક્ષ્મ અને બાદર એવા જીવના બે ભેદથી પ્રાણિવધ બે પ્રકારનો છે. તેમાં બે ઈન્દ્રિય પ્રમુખ સ્થલ બાદર કહેવાય છે અને એકેન્દ્રિય સૂક્ષ્મબાદર કહેવાય છે; કારણ કે, સૂકમ એકેન્દ્રિયનો શસ્ત્રાદિ પ્રયોગે કરી વધ થવાનો અભાવ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy