SearchBrowseAboutContactDonate
Page Preview
Page 12
Loading...
Download File
Download File
Page Text
________________ યત્ કિંચિત્ જૈનદર્શન પામ્યા પછી અરિહંત પરમાત્માની ઓળખાણ સમ્યગજ્ઞાન દ્વારા જ થઈ શકે છે. अरिहंतो मह देवो, जावजीवं सुसाहूणो गुरुणो । जिन पन्नतं तत्तं, इह समत्तं मऐ गहियं ।। આ ગાથા અંતરમાં પૂર્ણ શ્રદ્ધા અને સમર્પણ ભાવ હોય તોજ ફળે છે. સમ્યજ્ઞાન અને સમ્યગદશનને સમન્વય જાગે તે અંતરાત્મ જાગી ઉઠ. तमेव सच्च निःशंकं जं जिणेहिं पवेइयं ।। એજ સાચું અને શંકા રહિતનું છે જે જિનેશ્વર ભગવંતોએ ભાખ્યું છે. ભગવંતના વચનો પરની પૂણ અતૂટ શ્રદ્ધા એટલે સમ્યગદશન. આગમ પ્રત્યે બહુમાન અને આદરભાવ એટલે સમ્યગજ્ઞાન. આ રીતે દેવ, ગુરુ, અને ધમતો પરની સંપૂર્ણ શ્રદ્ધા અને ઓળખાણ માટે તેમજ તેને સ્વીકારીને હૃદયમાં સ્થિર કરવાપૂર્વક આત્મકલ્યાણ સાધવા માટે અનેક મહાન (ગ્રન્થો) આગમે છે. તે ગ્રન્થ પૈકીમાં જેમ અધ્યાત્મકલ્પદ્રમ, અધ્યાત્મસાર વગેરે અધ્યાત્મપૂર્ણ ગ્રન્થ છે. અને તેવી જ રીતે સમ્યકત્વ, દેશવિરતિ, સર્વવિરતિ, અને અહંત ભક્તિ એમ ચારેનું વિસ્તૃત વર્ણન જેમાં છે તે આત્મપ્રબંધ નામને આ ગ્રન્થ સર્વેને ઘણું જ ઉપયોગી છે. તેમાં પણ શ્રદ્ધાળુ આમાઓ માટે તે આ ગ્રન્થ ઘણો જ ઉપયોગી છે. આ ગ્રન્થ ભાવનગરની શ્રી જૈન આત્માનંદ સભાએ બહાર પાડેલ ત્યારબાદ ઉપયોગીતાને દયાનમાં લઈ આત્મપ્રબંધ ગ્રન્થનું પુનર્મુદ્રણ કરવા અમેએ પ્રેરણ કરી, તે પ્રેરણા જ્ઞાનાભિરૂચિ વાળા આત્માઓએ ઝીલી લીધી. તેમ તેઓના સહકારથી આજે ફરી આ ગ્રન્થ બહાર પડે છે. સહુ કોઈને આ ગ્રન્થ ઉપયોગી થશે અને તેમાં બતાવેલા સુંદર આત્મપયેગી વિષય સમ્યકત્વને વધારી દેશવિરતિમાં લઈ જઈ તેનાથી વધુ આગળ સર્વવિરતિમાં પ્રવેશ કરાવનાર અને પરમાત્માનું તેમજ સિદ્ધ પરમાત્માનું સ્વરૂપ જાણવાપૂર્વક આત્મકલ્યાણ માટે બને તેવી શુભભાવના સાથે આ ગ્રન્થ પૂજ્ય ગુરૂદેવ વિજયામૃતસૂરીશ્વરજી મ. સા.ના ચરણ કમળે સમર્પિત કરીને કાંઈક કૃતાર્થતા અનુભવું છું. –૫, દાનવિજય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005207
Book TitleAtmprabodh
Original Sutra AuthorN/A
AuthorVijay Jinlabhsuri, Zaverchand Bhaichand Shah
PublisherAtmanand Jain Sabha
Publication Year1988
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy