________________
અસાધારણ સહાય કરી, તેમ જ સ્વતંત્ર ગ્રંથસંપાદન પણ કર્યું, ઉચ્ચ કોટીના વિદ્વાનોનો પણ એમને સંસર્ગ થયો.
આ રીતે વિદ્યાવૃદ્ધિમાં આગળ વધતાં વધતાં, સને ૧૯૪૪માં, પંડિતજી નિવૃત્ત થયા ત્યારે, એમને સ્થાને દલસુખભાઈ જન ચેરના પ્રોફેસર બન્યા. તે વખતના ઉપકુલપતિ ર્ડો. રાધાકૃષ્ણને દલસુખભાઈ જેવા યુવાન વિદ્વાનને સહર્ષ વધાવી લીધા. અધ્યાપક તરીકે તેઓ વિદ્યાર્થીઓ અને સંશોધક તરીકે વિદ્વાનોમાં ખૂબ પ્રીતિપાત્ર બન્યા. જાપાનના પ્રોફેસર અને બર્માના બૌદ્ધ ભિક્ષુઓ પણ એમની વિદ્વત્તાને લાભ લેવા આવતા, એટલું જ નહીં, એમના સૌજન્યસભર તલસ્પર્શી પાંડિત્યે વૃદ્ધ, જ્ઞાનવૃદ્ધ અને અધિકારવૃદ્ધોને પણ એક પ્રકારનું કામણ કર્યું હતું. એ સૌ એમની પાસે વિના સંકોચે આવતા અને સંતોષ પામીને જતા. અને, વિદ્યાવૃદ્ધિ માટે, દલસુખભાઈને તે નાના બાળક પાસે જવામાં પણ સંકોચ ન હતો. અને હવે તે માતા સરસ્વતીના આ લાડકવાયા ઉપર લક્ષ્મીદેવી પણ કૃપા વરસાવવા લાગ્યાં હતાં. અને છતાં દલસુખભાઈનું જીવન તો એવું જ કરકસરભર્યું, સરળ અને સાદું હતું– રત્નાકર સાગર કયારેય ન છલકાય !
અમદાવાદમાં શ્રી દલસુખભાઈ બનારસમાં હતા તે દરમ્યાન, પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની ભલામણ અને સદ્ગત રાષ્ટ્રપતિ ર્ડો. રાજેન્દ્રબાબુના પ્રયાસથી, સને ૧૯૫૨માં, પ્રાકૃત ટેક્ષ એસાયટીની દિલ્લીમાં સ્થાપના થઈ હતી. બીજી બાજુ આગમપ્રભાકર પૂજ્ય પુણ્યવિજયજી મહારાજની પ્રેરણા અને શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની ઉદાર સખાવતથી, સને ૧૯૫૭માં અમદાવાદમાં લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિરની સ્થાપના થઈ. શેઠશ્રી કસ્તુરભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના સ્થાપના સમયથી જ એની કાર્યવાહક સમિતિમાં છે. તે દહાડે શ્રી દલસુખભાઈ પ્રાકૃત ટેક્ષ સોસાયટીના માનદ મંત્રી બન્યા. તે
૧૪]
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org