SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ના મંદિરમાં વિશિષ્ટ ધ્યાનકેન્દ્ર, પ્રાચીન ભવ્ય ૫૧ ઈંચના આદીશ્વર ભગવાનની પ્રતિમા છે. દેવકુલિકાઓનાં સુંદર તોરણો અને બારીની ભાતો આકર્ષક છે. 3ૐકાર, સ્વસ્તિક, દીપક વગેરેની શૈલી વિશિષ્ટતાયુક્ત છે. પગથિયાં ચઢીએ ત્યારે મુખ્ય મંદિર આવે છે. નૃત્યમંડ૫માં જમણી તરફ ચક્રેશ્વરી દેવી તથા પદ્માવતી માતાની આકર્ષક મૂર્તિઓ છે. આ મંદિરમાં સાત ગર્ભગૃહ છે. મુખ્ય ગર્ભગૃહમાં ૨૭ ઇંચની મુનિસુવ્રતસ્વામીની પ્રાચીન પ્રતિમા છે. શ્રી પંચતીર્થ આ મંદિરને ઉપરને માથે પાંચે શિખરમાં અભુત જિન પ્રતિમાઓ છે. ૪૧ ઈંચની મુનિસુવ્રત ભગવાનની કાળા રંગની ઊભી પ્રતિમા છે. વચ્ચેના મુખ્ય શિખરમાં અલૌકિક મૂર્તિ છે. આ આખું જિનાલય પોતાની વિશિષ્ટ બાંધણી માટે પ્રસિદ્ધ છે. આ ભવ્ય મંદિર પૂર્ણ આરસપહાણનું છે અને સોમવશ શિલ્પીએ શાસ્ત્રોના અને આચાર્યોના આદેશ મુજબ બાંધ્યું છે. આ મંદિરમાં પુરાણા મંદિર જેવાં ચિત્રો નથી તથા લાકડાની ભવ્ય કોતરણી પણ નથી; છતાં નૂતન મંદિરોમાંના શ્રેષ્ઠ મંદિર તરીકે તેની ગણના થાય છે. (ES \| IM TI [ Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy