________________
MAી.
જ000000
0 005
.
']
આ ચિત્રફલકોના વિવિધ વિષયો જેમ કે તીર્થકરત્વની પ્રાપ્તિનાં સ્થાનકો, એકસોસિત્તેર તીર્થંકરો, દ્વારકાનો દાહ, કૃષ્ણ વાસુદેવનું અવસાન અને બળદેવની દીક્ષા, શ્રી મહાવીર સ્વામીના ૨૭ ભવો, લગ્નમહોત્સવ અને કેવલજ્ઞાન, મહાવીરસ્વામીની બાલ્યાવસ્થા, શ્રી ઋષભદેવ આદિ ૨૪ તીર્થકરોના ગણધરપદવી”, મુનિ અને શ્રેણિક નૃપતિ, ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા અને અકબર બાદશાહ વગેરેનાં ચિત્રો છે. નાના માપનાં આ પંદર ચિત્રોની શૈલી પ્રશંસનીય છે; કિન્તુ ચિત્રો ખૂબ ઉચ્ચ કોટિનાં નથી. આ ચિત્રોમાં મહત્ત્વનું ચિત્ર ચંપા શ્રાવિકાની તપશ્ચર્યા અને અકબર બાદશાહ છે. “અકબર બાદશાહના દરબારમાં મુનિ હીરવિજયસૂરિ-આ ચિત્ર ઐતિહાસિક ઘટના બન્યાની વાતની સાક્ષી પૂરે છે. ચિત્ર મુઘલ કલમને મળતું આવે છે. પરંતુ પ્રમાણમાં સૂક્ષ્મતા ઓછી છે એમ ચિત્ર જોતાં લાગે છે. ચિત્રનું સંયોજન, રંગ, વિષયઅનુકૂળ વાતાવરણ સર્જવામાં ચિત્રકાર નિષ્ણાત છે; પરંતુ શત્રુંજય પટ અને ચૌદ ભુવનના પટ જેવું ઉત્કૃષ્ટ કામ નથી.
મંદિરમાં પહેલે માળે, મેરુ પર્વતની લાકડાની રચના છે. ખૂબ સાદી રીતે અર્ધમૂર્ત શૈલીમાં તે કોતરેલી છે. આયોજન પહાડ જેવું લાગે છે. વચ્ચે જંગલ ઝાડી, ગુફા, હરણાં, પશુ પક્ષીઓ તથા તપ કરતા મુનિ વગેરે લોકકળાની શૈલીની અસર વાળાં છે. આ જોવા પણ ચારે બાજુ ફરવું પડે છે. મંદિરના રંગમંડપમાં મૂકેલ સમવસરણ ખૂબ જ સુંદર અને નજાકતવાળો છે. જેની ઊંચાઈ આશરે છ ફૂટની છે. એના ત્રણે ગઢ સચિત્ર છે.
આમ ચન્દ્રપ્રભુસ્વામીનું આખેઆખું મંદિર કોઈક ને કોઈક કલાકૃતિથી અલંકૃત કરવામાં આવ્યું છે. દ્વિ-પરિમાણી અને ત્રિ-પરિમાણી કાષ્ઠકળાનો આવો અદ્ભુત સમન્વય અનન્ય છે.
11
(૪
-
1
ES
1
જૈન કાપટ-ચિત્ર : ૪૧
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org