SearchBrowseAboutContactDonate
Page Preview
Page 54
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય, ખોળામાં તીર્થંકર, પછી આકાશમાં વિહરતા દેવો, નીચે મંદિરો અને રાજવી શ્રાવકોની પૂજાવિધિનું વિગત-પ્રચુર આલેખન એ નંદીશ્વર દ્વીપ'ની વિશિષ્ટતા છે. પોણી-ત્રણસો વર્ષ થયાં હોવા છતાંય એની જાળવણી સારી રીતે થઈ છે. આ મંદિર અતિ ખ્યાત નથી. નળાકારની ઉપર ચાર સ્તંભોવાળી છત્રી અને દહેરીની રચના, જેના ઉપર સ્થાપત્યની કમાન, ગુંબજ જેવું ચિતરામણ છે. નંદીશ્વર દ્વીપના બીજા ભાગોમાં મંદિરના પ્રવેશદ્વાર પર પ્રતિહાર, દેવમૂર્તિનું આલેખન જોવા મળે છે. નંદીશ્વર દ્વીપના કળાકારોની કલમ, મંદિરસ્થિત કાઠ-પટ અને છત પર જે કામ જોવા મળે છે તેના ચિત્રકારો કરતાં જુદી, વધારે સમર્થ, ગૌરવવાળી અને ઐશ્વર્યવાળી લાગે છે. આ પ્રકારની રચના કદાચ વિરલ હશે. ચંદ્રપ્રભુ જિન મંદિરમાં લાકડાના બે જૈન પટ વિદ્યમાન છે. એક પટ “શત્રુંજય પટ” છે. જ્યારે બીજો જૈન-ભોગોલિક માન્યતાને આધારે ચિતરેલ “ચૌદભુવનનો પટ’ છે. કળાની દૃષ્ટિએ ખૂબ જ વિશાળ માપમાં મુકાયેલો પાલીતાણા-શત્રુંજય પટ ખૂબ જ સુંદર છે. આ ૭.૫” x ૫.૫' નો છે. શત્રુંજય પટનું વિશાળ સંયોજન, મનુષ્યાકૃતિનું ઝીણવટ ભરેલું આલેખન નોંધપાત્ર છે. पानी नाई घरम રાજસ્થાની લઘુચિત્રોની વ્યાપક અસર ધરાવતા આ ચિત્રફલક પર જોનારાઓની નજર ચારે બાજુ ફરી વળે છે. પટના ઉપરના ભાગમાં આકાશગામી ઊડતા પાંખાળા દેવદૂતો દર્શાવ્યા છે, જેઓ મંદિરના શિખરની ફરફરતી ધજાની દિશામાં છે. ત્યાં પાસે પાંચ પાંડવ અને વાવડીનું આલેખન છે. જોનારની આંખ મંદિરના પરિપ્રેક્ષ્ય તરફ આગળ વધે છે. મંદિર ચિતરવામાં તેની રચના સ્થાપત્યનાં કોણ માપ, ઉપર નીચે પગથિયાં, ઘુમટનો અંદરનો ભાગ, પગથિયાં કે ઉપર અંદર જતા ઓટલાઓ, દેહરીનું આલેખન પણ ગણિતની રીતે છે. પરિપ્રેક્ષ્યના નિયમોને જાળવીને મંદિર કે બીજાં સ્થાપત્યોનું ચિતરામણ કરવામાં આવ્યું છે. નાના-નાના ચોરસમાં તીર્થકરની મૂર્તિઓનું સોનામાં આલેખન છે. એ શત્રુંજય પર્વતની આસપાસના ગઢ-કિલ્લા-છતરી, દીવાલો, તળેટીમાં યાત્રાળુઓની કતાર, ડુંગર પાછળ વાવડીઓમાં સ્નાન કરતા યાત્રાળુઓ, વૃક્ષો વનરાજી, તપસ્યા કરતા સાધુ-સાધ્વીઓ, જંગલમાં વિહરતાં પશુ-પક્ષીઓ, નીચે ગામનું દૃશ્ય, નાનકડી વાવ, બગીચો, વિશ્રામ લેતી ગાયો છે. પટના મધ્ય ભાગમાં મંદિરસ્થિત મૂર્તિ અને પૂજાવિધિ સાથે શ્રાવકોની જીવનચર્યા આલેખી છે. કોઈક સુખડ ઘસે છે, કોઈ માળી પાસે ફૂલ લે છે, તો કેટલાંક પગથિયાં ચઢે છે. પટના નીચેના ભાગમાં રથ ૩૮ : જૈન કાઇપટ-ચિત્ર Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy