SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ . 0 (O) TAT વાળા ને ગુજરાતની જૈનકળા ગુજરાતમાં જૈનકળાનો જે વિકાસ થયો એના આશ્રયદાતા જૈનધર્મી હતા. જો કે કળાકારો પોતે કયા ધર્મના હતા તેનો નિર્ણય કરી શકાતો નથી. વળી વૃદ્ધ યતિઓ અને મુનિઓ પણ ચિત્રોનું નિર્માણ કરતા એવા ઉલ્લેખો છે. એવું અનુમાન કરી શકાય કે મોટા ભાગના કળાકારો જૈનેતર હશે. | જૈન કળાનું શિલ્પ ગુજરાતી શિલ્પ છે. આ શિલ્પ જે રૂપ ગ્રહણ કર્યું છે તેમાં જૈન વિષયો અને જૈનધર્મના આશ્રયદાતાઓની રૂચિ નિયામક બન્યાં છે. આ શિલ્પો સમજવામાં જૈન વિષયોને લગતી તથા આશ્રયદાતાઓ વિશેની માહિતી ઉપકારક થઈ પડે છે. ગરવી ગૂર્જર ભૂમિ સૌંદર્ય અને સમૃદ્ધિ માટે જગતના ઇતિહાસમાં પ્રારંભકાળથી સુવિખ્યાત છે. રસવતી ભૂમિ, વહેતી નદીઓ, વૃક્ષોથી છવાયેલી, સુધાન્યોથી લહેરાતી ધરા અહીં છે. ઉત્તરે અર્બદચલ. મકુટશિરોમણિ રૂપ પર્વત, વક્ષ:સ્થળ પર સરસ્વતી, શ્વભ્રમતી (સાબરમતી), મહી, નર્મદા અને તાપી જેવી નદીઓ તથા પશ્ચિમને સ્પર્શતો લહેરાતો રત્નાકર છે. શ્રી ઋષભનાથ, શ્રી નેમિનાથ, ભગવાન શ્રીકૃષ્ણ જેવા દિવ્ય પુરુષનો પાદસ્પર્શ આ ભૂમિ પર થયો છે. બ્રાહ્મણ, બૌદ્ધ, જૈન, જરથોસ્ત, ખ્રિસ્તી અને ઇસ્લામ વગેરે અનેક ધર્મો અહીં સ્થાન પામ્યાં છે. જૈન કાંચી : તિસ્પતિકુન્દમ્ જગતના સર્વ પ્રધાન ધર્માનુયાયીઓને ઉદાર આશ્રય આપનારી આ પવિત્ર ભૂમિ છે. આમ પૃથ્વીતલ પર પર્વત, સિંધુ, વનરાજિ, રણ અને સરિતાઓથી પરિવૃત્ત આ ભૂમિ દિવ્યશક્તિધારિણી દેવી તરીકે શોભાયમાન છે. ધનોપાર્જન કરનારા વૈશ્યોએ પણ આ ભૂમિની આરાધના કરી છે. ચીન, ગ્રીસ, ગાંધાર, કંબોજ, માલવ વગેરે પ્રાચીન જગતના વૈશ્યો તેમ જ ડચ, વલંદા, પોર્ટુગીઝ, ફ્રેન્ચ, જર્મન, અંગ્રેજ અને અમેરિકન-આવા અર્વાચીન સોદાગરો પણ આ ભૂમિ પર વ્યાપાર અર્થે આવ્યા હતા અને વસ્યા હતા. જૈનોએ આ ભૂમિને શણગારી છે. ભવ્ય દેવપ્રાસાદો, રાજપ્રાસાદો, શિલ્પ-સ્થાપત્ય આ ભૂમિને આપ્યૉ છે. સમસ્ત ગુજરાતી પ્રજાના નૈતિક જીવનમાં જૈન ધર્મની ઊંડી અસર છે. ચન્દ્રગુપ્ત મૌર્ય, ત્યાર બાદ વલભીપુરના સૂર્યવંશી મહારાણા શીલાદિત્ય, વલભીપુરના પતન પછી પંચાસરના ચાવડા શાસકો આવ્યા. તેમણે જૈનાચાર્ય શ્રી શીલગુણસૂરિના આશ્રયથી રાજધાની પાટણ શહેર વસાવ્યું. મહારાજા, વનરાજને જૈનાચાર્ય દેવચન્દ્રસૂરિના આશીર્વાદ મળ્યા. એમની ઇચ્છાથી પાટણમાં પંચાસર પાર્શ્વનાથનું ભવ્ય દેરાસર બંધાયું. મહારાજાધિરાજ સિદ્ધરાજ જૈન ધર્મને આશ્રયે આવ્યા, ગૂર્જરેશ્વર કુમારપાળે જૈન ધર્મ સ્વીકાર્યો, અનેક જૈન સૂરિઓના આશિષ પામ્યા. એમના સમયમાં કલિકાલસર્વજ્ઞ હેમચન્દ્રાચાર્ય સિદ્ધહેમ' વ્યાકરણ રચ્યું અને ઠેર ઠેર ચૈત્યો બંધાવ્યા, ગ્રંથભંડારો સ્થાપ્યા જે જગતભરમાં વિખ્યાત છે. મુસલમાનોના આક્રમણ પછી ગુજરાતમાં મુસ્લિમ રાજસત્તાની સ્થાપના થઈ. સર્વત્ર ઘણો વિનાશ થયો (ભીમદેવ બીજાના વખતમાં). વીરમંત્રી વસ્તુપાલ અને સેનાપતિ તેજપાલના પ્રયત્નોને પરિણામે ગુજરાત ફરી સ્વતંત્ર બન્યું. સેંકડો પ્રાસાદો બંધાયા. જૈન કાઇપટ-ચિત્ર : ૨૧ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005203
Book TitleJain Kashtapat Chitra
Original Sutra AuthorN/A
AuthorVasudev Smart
PublisherOmkarsuri Gyanmandir Surat
Publication Year2002
Total Pages144
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy