________________
કલામર્મજ્ઞ ચિત્રકાર શ્રી વાસુદેવ સ્માત
(૧૯૨૫ - ૧૯૯૯)
મુંબઈની સર જે જે સ્કૂલ ઑફ આર્ટ્સમાંથી જી.ડી.એ.ની ઉપાધિ ૧૯૪૯ થી ૧૯૫૧ સર જે.જે. સ્કૂલ ઑફ આર્ટ્સ માં ફેલો. ૧૯૫૮ થી ૧૯૬૦ ભારત સરકારની શિષ્યવૃત્તિ મળતા વારાણસી બનારસ હિંદુ યુનિવર્સિટીમાં શ્રી જગન્નાથ અહિવાસીના હાથ નીચે કામ કર્યું. ભારતીય ચિત્રક ળાનો ઊંડો અભ્યાસ, ભીંતચિત્રોની વિવિધ રૌલીઓ અને ટેકનિકની જાણકારી, અજંતા, બાધ, બાદામી, સિત્તનવાસલ, ઓરછા, ગોવર્ધન, કુસુમ સરોવર વગેરે સ્થળોનાં ભતચિત્રોની અનુકૃતિઓ કરી તથા દક્ષિણ ભારતીય શિ૯૫ અને ચિત્રોની રેખાકૃતિઓ કરી.
ગુજરાતમાં 'કલા દર્પણ' નામનું કલાના ઇતિહાસનું પુસ્તક પ્રગટ કર્યું. 'રૂપસંહિતા' બે હાર થી વધુ ભારતીય અલંકરણને સમાવતા સચિત્ર 'રૂપસંહિતા’ સંપાદન કર્યું અને તેની સંવર્ધિત આવૃત્તિ પણ પ્રકાશિત કરી. કલા વિષયક અને ક લે ખો ઉપરાંત ભારતના ભીંતચિત્રો’ પુસ્તક પ્રગટ કર્યું.
પ્રવાસનો ઊંડો રસ, જે તે સ્થળોની પારંપરિકકળા અને લોકસંસ્કૃતિનો અભ્યાસ કર્યો. ‘ભરત નાટય શાસ્ત્ર’ આધારિત સંસ્કૃત નાટકોમાં કલા દિગ્દર્શન કર્યું..
ગુજરાત રાજ્યની લલિત કલા અકાદમીમાં ૧૯૬૦ થી માનદ્ સભ્ય તરીકે નિયુક્તિ પામ્યા. બનારસ હિંદુ યુનિવસટીમાં કળા પ્રાધ્યાપક તરીકે પાંત્રીસ વર્ષ સુધી સેવા આપી. 'ભારતકલા ભવન બનારસનો માનદ્ સભ્ય પણ રહ્યા.
જીવનના છેલ્લાં વર્ષોમાં દક્ષિણ ગુજરાતના જૈન મંદિરો પર સંશોધન કાર્ય કર્યું. સૂરત, ભરૂચ, અંકલેશ્વરનાં ભીંતચિત્રો અને પટચિત્રોની અનુકૃતિઓ કરી જેન કલાના સંવર્ધનનું એક મહત્ત્વનું કાર્ય કર્યું.
Jain Education International