SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ પટ્ટાવલી ] શ્રી મહાગિરિ ને મુહસ્તિસૂરિ પાછા આવી ગુરુમહારાજને વાત કરતાં ગુરુમહારાજને પણ સંપ્રતિની બુદ્ધિમત્તા અને ધર્મપ્રેમ પરત્વે માન ઉપજ્યું. ૪ પેાતાના પૂર્વભવના રક જીવનને અનુલક્ષીને જે સ’પ્રતિએ દાનશાળાએ શરૂ કરાવી હતી તેમાં પ્રાંતે જે બાકી રહેતુ હતુ તે ભેાજનશાળાના ઉપરી અને રસાઇઆ પ્રમુખ સેવકવર્ષાં લઇ જતા. સંપ્રતિએ તેમને કહ્યું કે તે આહાર તમારે સાધુ મુનિરાજને વહેારાવવા અને તેના બદલામાં હું તમને વધુ દ્રવ્ય આપીશ. આ પ્રમાણે તેઓ અવશિષ્ટ અન્નપાન સાધુઓને વહેારાવવા લાગ્યા અને સાધુએ પણ નિર્દોષ જાણીને તે લેવા લાગ્યા. આય સુહસ્તિ તે તે દોષયુક્ત આહાર વતા હતા છતાં શિષ્યા પરના અનુરાગને કારણે કઈ કહેતા નહિ. આ મહાગિરિ મહારાજને આ વાતની ખબર પડતાં તેમણે આ સુહસ્તિને પૂછ્યું કે‘ રાજપ’ડ કેમ બ્રહણ કરા છે ?' આ સુહસ્તિએ કહ્યું કે‘યથા રાના તથા પ્રના' આવેા માયાયુક્ત જવાબ સાંભળી મહાર કાપાયમાન થયા અને કહ્યુ કે–‘અનેષણીય આહાર આપણાથી લઈ શકાય નહિ. જળ પણ નિર્દોષ વાપરનારા સાધુઓએ સામાચારી પ્રમાણે જ વવું જોઈએ. તમારા માગ વિભિન્ન થવાથી મારે તમારી સાથે સંબંધ રાખવે! યુકત નથી.’આ પ્રમાણે સાંભળતાં આય સુહસ્તિસૂરિ ભયભીત બની બાળક જેમ ધ્રૂજવા લાગ્યા અને કહ્યું કે-‘ સ્વામિન્ ! આ મારા રાહાન્ અપરાધ છે. આપ ફરી એક વાર માફ કરે.' આ સાંભળી આ મહાગિરિજીએ કહ્યું કે-‘તેમાં તમારા દોષ નથી. ચરમ જિનપતિ શ્રી મહાવીર ભગવતે જ કહ્યું છે કે સ્થૂલભદ્ર મુનિ પછી મારા શિષ્યસંતાનમાં સમાચારીની યથાતા ઓછી થઇ જશે અને આપણે શ્રી સ્થૂળભદ્રની પાટે આવેલા હાઇને ભગવંતના તે વચના સત્ય ઠરે છે.' પછી જીવ'તસ્વામીને વાંદીને આય મહાગિરિ અન્યત્ર વિહાર કરી ગયા. એકદા પુનઃ વિહાર કરતાં કરતાં આ સુહસ્તિસૂરિ ઉજ્જયનીમાં પધાર્યા. પેાતે નગર બહાર રહી પેાતાના બે સાધુઓને વસતિ માગવા મેાકલ્યા. સાધુઓએ જઇ ભદ્રા નામની શેઠાણી પાસે વસતિની માગણી કરી. શેઠાણીએ સહ વાહનફુટી ( તબેલા ) કાઢી આપ્યા અને આર્ય સુહસ્તિ સપરિવાર ત્યાં રહ્યા. 6 એકદા સધ્યા સમયે આય સુહસ્તિ નલિનીગુલર્ નામના શ્રેષ્ઠ અધ્યયનનું પુનરાવર્તન કરતા હતા તે મહેલમાં સાતમે માળે વિલાસ કરતાં શૈશેઠાણીના પુત્ર અતિસુકુમાળે સાંભળ્યું. તે જેમ જેમ સાંભળતા ગયા તેમ તેમ તે ઊંડા વિચારમાં ગરકાવ થવા લાગ્યા. તે પ્રાસાદ પરથી ઉતરી ગુરુમહારાજ પાસે આવ્યે। અને કહ્યું કે આપ જેનું પુનરાવર્તન કરી રહ્યા છે તેવું મેં કઇંક અનુભવ્યું છે.' ઊહાપેાહ કરતાં તેમને જાતિસ્મરણ જ્ઞાન થયું. તેણે જણાવ્યું કે પૂર્વે હું નલિનીગુલ્મ વિમાનમાં દેવ તરીકે હતા. ત્યાંથી ચ્યવીને હું અહીં ઉત્પન્ન થયા છું અને પુનઃ ત્યાં જ જવા ઈચ્છુ છું તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy