SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જગચ્ચદ્રસૂરિ ܕܕ ૧પર ૪૪ શ્રી જગચ્ચદ્રસૂરિ ૬ તપા શ્રી સેામપ્રભસૂરિ ને શ્રી મણિરત્નસૂરિની પાટે શ્રી જગચ્ચદ્રસૂરિ આવ્યા. તેમણે સ્વગચ્છની ક્રિયા–શિથિલતા દેખી ગુરુની આજ્ઞાનુસાર ચૈત્રગચ્છીય શ્રી દેવભદ્ર ઉપાધ્યાયની સહાયથી ક્રિયાદ્ધાર કર્યાં. આ કાર્ય માટે તેમણે અસાધારણ ત્યાગવૃત્તિ ને આગમાક્ત શુદ્ધ ક્રિયા સ્વીકારી. કેટલાકો એમ પણ જણાવે છે કે–દિગંમરેાના વારંવાર પરાજય થવા છતાં તેએની વાદ કરવાની ઇચ્છા જીવંત હતી અને તેથી આઘાટપુર(ઉદયપુર પાસેનું હાલનું આહાડ)માં ખત્રીશ દિગમ્બર આચાર્ચીની સાથે વાદ કર્યાં અને જીત મેળવી તેથી મેવાડના રાજા જૈસિંહે તેમને હીરલા જગચ્ચંદ્રસૂરિ એવુ બિરુદ આપ્યુ હતું. શાસ્ત્રના અગાધ જ્ઞાન સાથે તે ઉત્કૃષ્ટ તપસ્વી પણ હતા. તેમણે જાવજીવ આયંબિલની તપશ્ચર્યા શરૂ કરી અને તે તપ કરતાં કરતાં ખાર વર્ષ વ્યતીત થયા ત્યારે તે જ રાજાએ તેમને “તપા” ( ખરેખરા તપસ્વી ) એવું બીજું બિરુદ આપ્યું અને ત્યારથી એટલે વિ. સ.૧૨૮૫થી નિથ ગચ્છનું છઠ્ઠું નામ ગચ્છ પડયું.. જે અદ્યાપિ પર્યંત ચાલુ જ છે. તપાગચ્છે જૈન શાસનની ઉન્નતિ કરવામાં મહત્ત્વને ફાળા આપ્યા છે તે તે ગચ્છમાં થનારા પ્રતાપી પટ્ટધરેશને આભારી છે. જગચ્ચંદ્રસૂરિ વિહાર કરી જ્યારે ગુજરાતમાં આવ્યા ત્યારે વસ્તુપાળે તેમને અતિવ સન્માન આપ્યું અને સાથે સાથે સારી સહાયતા પણ કરી જેને પરિણામે ગુજરાતમાં અત્યારે પણ તપગચ્છના પ્રભાવ સૌથી વિશેષ છે. તેમના જ શિષ્ય શ્રી વિજયચંદ્ર જેઓ સસારાવસ્થામાં વસ્તુપાળ મંત્રીના ગૃહના હિસાબી (મહેતા) હતા તેમનાથી વૃદ્ધૌશાલિક તપગચ્છ” ને દેવેન્દ્રસૂરિથી “ લઘુપાશાલિક તપગચ્છ”ની ઉત્પત્તિ થઇ હતી. વિજયચદ્રસૂરિ પાછળથી શિથિલાચારી બન્યા હતા જ્યારે દેવેન્દ્રસૂરિએ શુદ્ધ ક્રિયાના પાલનપૂર્વક પટ્ટધર બનીને જૈન શાસનના સારા ઉદ્યાત કર્યાં હતા. ઉગ્ર તપશ્ચર્યા, નિર્મળ શુદ્ધિ, અસાધારણ વિદ્વત્તા અને વિશુદ્ધ ચારિત્રથી વિભૂષિત શ્રી જગચંદ્રસૂરિ અદ્દભુત વ્યક્તિ હતા. 66 देविंदो पणयालो ४५, छायालीसो अ धम्मघोसगुरू ४६ । सोमप्पह सगचत्तो ४७, अडचन्तो सोमतिलगगुरू ४८ ॥ १५ ॥ Jain Education International [ શ્રી તપાગચ્છ तत्पट्टे श्रीदेवेन्द्रसूरिः । तत्पट्टे श्रीधर्मघोषसूरिः । तत्पट्टे श्रीसोमप्रभसूरिः । तत्पट्टे श्री सोमतिलकसूरिः । ગાથા—પીસતાલીસમા પટ્ટધર શ્રી દેવેન્દ્રસૂરિ, છે...તાલીશમાં શ્રી ધ ઘાષર, સુડતાલીશમા શ્રી સેામપ્રભસૂરિ (બીજા) અને અડતાલીશમા પટ્ટધર તરીકે શ્રી સામતિલકસૂરિ થયા. ૧૫. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy