SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ દુર્બલિકા પુષ્પમિત્ર [ શ્રી તપાગચ્છ શ્રતાભ્યાસ ખલિત થાય છે માટે મને જુદો પાઠ આપે.' ગુરુએ કહ્યું “દુર્બળ પુષ્પમિત્ર પાસે વાચના ” કેટલોક સમય વાચના આપ્યા પછી પુમિત્રે ગુરુને એકાંતે જણાવ્યું કે-વાચના આપવાથી ભારો અભ્યાસ ભૂલી જાઉં છું.” આ સાંભળી ગુરુ વિચારવા લાગ્યા કે-' આ સમર્થ શિષ્ય પણ ખલના પામે છે તે બીજા કેમ અવધારી શકશે?” આથી તેમણે અનુયોગના ચાર વિભાગ કરી નાખ્યા : દ્રપાનુંવેગ, ચરકરણનુયોગ, ગણિતાનુગ અને કથાનોગ. એકદા સીમંધરસ્વામીને વંદન કરવા ગયેલ શકે યોગ્ય અવસરે ભગવંતને પૂછ્યું કે-હે. પૂજ્ય! આપની જેવું નિગોદનું સ્વરૂપ ભરતક્ષેત્રમાં કોઈ જાણે છે ?' ભગવંતે આર્ય રક્ષિતસૂરિનું નામ જણાવ્યું એટલે ઈકે વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ કરી, મથુરા નગરીએ ગુરુ પાસે આવી નિગેદના જીનું સ્વરૂપ પૂછયું. ભગવંતના કહ્યા મુજબ સૂરિએ યથાસ્થિત વર્ણન કરી બતાવ્યું જેથી ઈદ્ર ઘણે સતેષ પામ્યો. વધુ પરીક્ષા માટે પોતાનું આયુષ્ય પૂછતાં સૂરિએ લક્ષણ, ચિદૂન, આકૃતિ વિગેરે જ્ઞાનથી જાણી બે સાગરોપમનું આયુ કહ્યું એટલે ઈંદ્ર પિતાનો વ્યતિકર કહી સંભળાવી ચમત્કાર બતાવવાની ઈચ્છા પ્રદર્શિત કરી. ગુએ ચમત્કારની ના કહી છતાં કંઈક ચિહ્નરૂપે કરવું જ જોઈએ એમ ધારી તેમણે વસતિનું દ્વાર વિપરીત કરી દીધું. જયારે મુનિઓ બહારથી આવ્યા ત્યારે તેમને વસતિનું દ્વાર ન જવાથી ગુરુએ તે બતાવ્યું જેથી તેઓ આશ્ચર્ય પામ્યા. પછી પૂછપરછ થતાં ગુરુએ ઇદ્ર સંબંધી હકીકત પણ જવી. * પિતાનો અંતસમય નજીક જાણી પિતાના પટ્ટ પર કાને સ્થાપવા તે સંબંધી તેમણે લક્ષ આપ્યું તે દુબળપુષ્પમિત્ર પર મન કર્યું, પણ કેટલાકે ફગુરક્ષિતને અને ગામોહિલને પદ પર લાવવાનો આગ્રહ કર્યો. છેવટે યુક્તિથી બધાને સમજાવી પુષ્પમિત્રને પિતાને પદ પર થાપન કર્યા, આર્ય રક્ષિતસૂરિ કાળધર્મ પામી સ્વર્ગે સંચર્યો. આર્ય રક્ષિતસૂરિના સમય સુધી સંયમાચરણ નિરપવાદ હતું પરંતુ કંઈક શિથિલતા પ્રવેશવા લાગી હતી, નિયમોની કઠિનતા કંઈક મંદ કરવામાં આવી હતી. આર્ય રક્ષિતસૂરિની અગાઉ સાધુએ સાધુ પાસે અને સાધ્વીઓ સાવી પાસે આલોચના લેતી તેને બદલે સાધ્વીઓને પણ સાધુ પાસે આલોચના લેવાનો નિયમ થયો. સૌથી મહત્ત્વનો ફેરફાર અનુયેગને લગતો છે. અત્યાર સુધી એક સૂત્રમાં જ ચારે અનુગ હતા પણ પછી તેના ચાર વિભાગ કરવામાં આવ્યા–સૂને ચાર અનુગમાં વહેંચી દીધા. આ જેવું તેવું પરિવર્તન ન ગણાય. ખરું જોતાં તે આર્યરક્ષિતસૂરિને એક યુગપ્રર્વતક પુરુષ કહી શકાય. દુર્બલિકા પુષ્પમિત્ર આર્ય રક્ષિતસૂરિના સમર્થ શિમાંના તેઓ એક હતા. તેમના સતત અભ્યાસથી તેઓ વધુ પ્રસિદ્ધિ પામ્યા હતા. તેમનો અભ્યાસ–રંગ એવો હતો કે પુષ્કળ ધનનું ભોજન કરવા છતાં તેઓ દુર્બળ જ રહેતા અને તેથી દુલિકા પુષ્પમિત્ર એ નામથી પ્રખ્યાત થયા. તેમના બંધુઓ દશપુરમાં રહેતા અને તેઓ બૌદ્ધધર્મના ઉપાસક હતા. એકદા તેઓ સ્વબંધુ પુષ્પમિત્રને મળવા આવ્યા અને તેનું * ચાર અનુયોગને પૃથફ કરવાની તેમજ નિગદના સ્વરૂપ સંબંધની હકીકત કેટલાક કાલકાચાર્યને નામે ચઢાવે છે તે મતભેદ સમજવો, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005201
Book TitleTapagaccha Pattavali
Original Sutra AuthorN/A
AuthorKalyanvijay Gani
PublisherVijaynitisurishwarji Jain Library
Publication Year1940
Total Pages354
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy