________________
૩૩
પ્રતિષ્ઠા મહોત્સવ સનદ કરી આપી હતી. શ્રી શાંતિદાસ શેઠને શાહજહાં પાસેથી સંવત ૧૬૮૬માં શ્રી શત્રુંજય, શ્રી શંખેશ્વર, કેસરીયાજી, અમદાવાદ, સુરત, ખંભાત અને રાધનપુરના દેરાસરોનો કબજા ભોગવટાનો ખરીતો શાંતિદાસ શેઠના નામનો મળ્યો હતો.
| | |
ગિરિરાજ પર છેલ્લો પ્રતિષ્ઠા-મહોત્સવ
નવન જિનપ્રાસાદ - મહાપાવન તીર્થાધિરાજના મુખ્ય મંદિર-દાદાના આલિશાન અને ભવ્ય જિનાલયની આસપાસ દેરીઓ બાંધવામાં આવી હતી. આ કારણથી ભવ્ય જિનાલયનું ઉત્તમ કોટિનું શિલ્પકામ ઢંકાયેલું હતું. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીએ નૂતન જિનપ્રાસાદ બંધાવી તેમાં આ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરી. મૂળનાયક શ્રી ઋષભદેવ ભગવાનની ભવ્ય પ્રતિમાજી છે. આ દેરાસરમાં દેરી નં. ૩૯માં શ્રી પુંડરીકસ્વામીની સંવતઃ ૧૦૬૪માં બનેલા પ્રાચીન પ્રતિમાજી છે. પૂર્વની પ્રતિષ્ઠાઓની યાદ આપતો પ્રતિષ્ઠાનો પ્રસંગ વિ.સં. ૨૦૩ર મહા સુદ ૭ તા. ૭-૨-'૭૬ ને શનિવાર સવારના ૯-૩૭-૫૪ સેકંડના શુભ મુહૂર્તે "પુણ્યાહ પુણ્યાહ, પ્રિયન્તામ્ પ્રિયન્તામુ” ના મંગલ ઘોષનાદો વચ્ચે તથા ઘંટનાદો સાથે થયો. આ પ્રસંગે ભાવુકજનોના હૃદયમાં ઉભરાયેલ ધર્મભાવનાની સરિતા ખરેખર સૌને પાવન કરે તેવી હતી. પ્રતિષ્ઠા કરાવનાર મુખ્ય આચાર્યદિવ પરમ પૂજ્ય શ્રી વિજયકસૂરસૂરીશ્વરજી મ.સા, હતા. આ પ્રસંગે અન્ય આચાર્યો પણ પધાર્યા હતા. વિશેષ માહિતી શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી તરફથી પ્રકાશિત "પ્રતિષ્ઠાનો અહેવાલ' પુસ્તક દ્વારા મળી શકશે. તેના લેખક છે મુરબ્બી સ્વ. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ, કિંમત રૂ. ૧૫-૦૦ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org