SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતના મુખ્ય જૈન તીર્થો ૩૮૯ (૧૪) શ્રી ફલોદી તીર્થ શ્રી ઓશિયાજી તીર્થથી શ્રી ફલોદા તીર્થ ૭૫ કિલો મીટર દૂર છે. મૂખ્ય દેરાસર શ્રી ગોડીજી પાર્શ્વનાથ ભગવાનનું છે. ચાર માળનું દેરાસર છે. જેમાં કાચનું સુંદર કામ છે. શ્રી ધરણેન્દ્ર દેવની ઉભી મૂર્તિ છે. આવી મૂર્તિ બીજી કોઈ જગ્યાએ નથી. ગામમાં બીજા દેરાસરો છે. (૧૫) શ્રી જેસલમેર તીર્થ - પાના નં. ૨૦૧ (૧૬) અમરસાગર તીર્થ - પાના નં. ૨૦૩ (૧૭) શ્રી લોદરવા તીર્થ - પાના નં. ૨૦૨ (૧૮) શ્રી બારમેડ તીર્થ શ્રી જેસલમેર તીર્થથી શ્રી બારમેડ તીર્થ ૧૫૫ કિ.મી. દૂર છે. જેસલમેર તથા બારમેડથી પાકીસ્તાનની સરહદ બહુ નજીક આવેલી છે. ભારતીય મલિટરીની આવજાવ ચાલુ હોય છે. બારમેડમાં – ૧૨ દેરાસરો આવેલાં છે. તેમાં મુખ્ય દેરાસર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું છે. જે ઉંચાઈ ઉપર આવેલું છે. પગથિયાં ચઢીને ઉપર જવાનું છે. ખાગવ મહોલ્લામાં છે. મંદિરની બહારનો દેખાવ ખૂબ સુંદર છે. દાદાવાડી છે. શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની સુંદર પ્રતિમાજીછે. અધિષ્ઠાયક દેવ શ્રી ભોમિયાજી તથા શ્રી નાકોડાજી ભૈરદેવના પ્રતિમાજી બિરાજમાન છે. (૧૯) શ્રી નાકોડાજી તીર્થ - પાના નં. ૨૦૫ (૨૦) શ્રી જાલોર તીર્થ શ્રી નાકોડાજી તીર્થથી શ્રી જાલોર તીર્થ ૧૦૦ કિલોમીટર દૂર છે. પૂર્વકાળમાં આ નગરી સુવર્ણગિરિ નામે પ્રચલિત હતી અને અહીં કરોડપતિઓ વસતા હતા. પહાડની તળેટીમાં વસેલું આ ગામ છે. પ્રાચીન નગરી છે. તીર્થમાં પેસતાં પ્રથમ કીર્તિસ્થંભ આવે છે. જેમાં નીચે મૂળનાયક શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનું ભવ્ય દેરાસર છે. બાજુમાં મોટા દેરાસરમાં શ્રી નંદીશ્વરદ્વીપની રચના છે. વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy