________________
૩૮૮
ભારતના મુખ્ય જૈન તીર્થો (૩) મહેરાયગઢ કિલ્લો: ૧૨૨ મીટર ઊંચા પહાડ ઉપર આવેલો છે. કિલ્લાની ચારે
બાજુ ફરતી દિવાલો છે. કિલ્લો ૪૫૭ મીટર લાંબો અને ૨૨૮ મીટર પહોળો છે. ઈ.સ. ૧૪૫૯માં પ્રધાન રાવ જોધાએ બંધાવેલ છે. લોહા દરવાજાની દિવાલો પર
સતીઓના હાથની છાપ છે. (૪) જશવંત થાડા: મહારાજા જશવંતસિંહનું આરસપહાણનું સ્મારક ભવન છે. રાજા
બાલકરાવે બંધાવ્યું છે.
આ સિવાય મંદીરનો બાગ, બાલમંદ સરોવર, ગુલાબસાગર તળાવ, સંતોષી માતાના મંદિર જોવાલાયક છે. •
(૧૩) શ્રી ઓશિયાજી તીર્થ - જોધપુરથી શ્રી ઓશિયાજી તીર્થ ૬૦ કિ.મી. દૂર છે. ભગવાન શ્રી મહાવીરસ્વામીના નિર્વાણના ૭૦ વર્ષ પછી શ્રી પાર્શ્વનાથ ભગવાનના સાતમા પાટેશ્વર આચાર્ય શ્રી રત્નપ્રભસૂરીશ્વરજીએ પોતાના ૫૦૦ શિષ્યો સાથે પધારીને અહીંના રાજા ઉપલદેવ, મંત્રી ઉદડ અને અનેક શૂરવીર રજપૂતોને મદિરા, માંસ ત્યાગ કરાવીને જૈન ધર્મ અંગીકાર કરાવ્યો હતો. આચાર્યશ્રીના ઉપદેશથી ત્રણ લાખ અને ચોરાશી હજાર રજપૂતોએ જૈન ધર્મ સ્વીકાર્યો હતો. ઓશવાલ વંશની સ્થાપના અહીં જ કરી હતી.
રાજમંત્રી શ્રી ઉદડે શ્રી મહાવીરસ્વામી ભગવાનનું ભવ્ય ગગનચુંબી જિનમંદિર બંધાવ્યું હતું. શ્રી મહાવીરસ્વામી ભગવાનના વેળ ના સુંદર પ્રતિમાજીની શ્રી રત્નપ્રભસૂરિજીએ વીર સંવત ૭૦ માં પ્રતિષ્ઠા કરી હતી. ર૫૦૦ વર્ષ પહેલાંનું આ તીર્થ છે. દેરાસરનું શિલ્પ ખૂબ સુંદર છે.
આ મંદિરના અનેક જિર્ણોદ્ધારો થયા છે. હાલમાં પણ કામ ચાલુ છે.
મૂળનાયક શ્રી મહાવીર સ્વામી ભગવાનની સુવર્ણવર્ણની પદ્માસનસ્થ રા ફૂટ ઉંચી પ્રતિમાજીછે. મૂળનાયકજીની બન્ને બાજુએ શ્રી પાર્શ્વનાથ ભગવાન છે. શ્રી અધિષ્ઠાયક દેવની પણ મૂર્તિ છે. ધર્મશાળા, ભોજનશાળા, જ્ઞાનભંડાર તથા શ્રી વર્ધમાન જૈન વિદ્યાલય આવેલ છે. ઓશિયાજી ગામમાં ટેકરી ઉપર શ્રી સચ્ચાઈ માતાનું ભવ્ય મંદિર છે. પગથિયાં - ૧૫૦ છે. માતાજી શ્રી ઓશવાલ વંશના કુળદેવી ગણાય છે. બીજા પણ દેવ-દેવીઓની મૂર્તિઓ છે. દેશભરમાંથી ઓશવાલો કુળદેવી પાસે બાધા છોડવા તથા દર્શન કરવા આવે છે. ધર્મશાળાની પણ સગવડ છે.
શ્રી એશિયાજી તીર્થ, પેઢી - શ્રી વર્ધમાન જૈન શિક્ષણ સંઘ, પોસ્ટ ઓશિયા, જિલ્લો - જોધપુર - રાજસ્થાન, ટે.નં. ૨૯૨૨ - ૪૨૩૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org