________________
૩૮૨
ભારતના મુખ્ય જૈન તીર્થો (૩) વિક્રમ સંવત ૧૬૫૬ (૪) વિક્રમ સંવત ૨૦૩૩ મહા સુદ ૧૩
આ બાવન જિનાલય મંદિર છે જેમાં જુદા જુદા નામના શ્રી પાર્શ્વનાથ ભગવાનો , બિરાજમાન છે.
વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે. પેઢી - શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી કરેડા પાર્શ્વનાથજી તીર્થ પેઢી, ભોપાલસાગર
જિલ્લા. ચિતોડગઢ - રાજસ્થાન - ૩૧૨૨૦૪
(૪) શ્રી મુછાળા મહાવીર તીર્થ કરેડા પાર્શ્વનાથ તીર્થથી શ્રીનાથજી ૫૫ કિ.મી. દૂર છે. શ્રી નાથજીથી કાંકરોલી ૧૦ કિ.મી. દૂર છે. કાંકરોલીથી શ્રી મૂછાળા મહાવીર તીર્થ ૭૬ કિ.મી. દૂર છે.
આ તીર્થ ઘણું પ્રાચીન છે. એક વખત ઉદેપુરના મહારાણા અહી દર્શન માટે પધાર્યા. તિલક કરતી વખતે મહારાણાએ કેસરની કટોરીમાં વાળ જોઈને પૂજારીને હસતા હસતા પૂછ્યું કે તમારા ભગવાનને મૂછો છે? પુજારીએ હા કહી અને કીધું કે ભગવાન સમયે સમયે વિવિધ રૂપ ધારણ કરે છે. હઠીલા મહારાણાએ આ સાંભળી મૂછોવાળા ભગવંતના દર્શન કરવાનું નક્કી કર્યું. પુજારીએ પ્રભુજીની ત્રણ દિવસ ભક્તિ કરી. અધિષ્ઠાયક દેવ પ્રસન્ન થયા જેથી ભગવાને મહારાણાને મૂછો સાથે દર્શન આપ્યા. ત્યારથી ભગવાન મૂછાળા મહાવીર તરીકે પ્રખ્યાત થયા.
જંગલમાં આવેલ આ તીર્થ છે. ચોવીશ જિનાલયવાળું આ સુંદર તીર્થ છે. દેરાસરની આગળ બે હાથીઓથી તીર્થ શોભી રહ્યું છે. દેરાસરનો આગળનો દેખાવ ઘણો જ સુંદર છે. આગળના ભાગમાં હાથીની પાછળ ચમત્કારીક અધિષ્ઠાયક દેવની મૂર્તિ છે. જે જાગતા દેવ છે. સૌ કોઈ તેમને પૂજે છે. લોકો બાધાઓ રાખે છે. મૂળનાયક શ્રી મૂછાળા મહાવીરની શ્વેતવર્ણ પ્રતિમાજી છે. કહેવાય છે કે આ મૂર્તિ ભગવાનના મોટાભાઈ નંદીવર્ધને ભરાવી હતી. સુંદર ધર્મશાળા છે તથા ભોજનશાળાની સગવડ છે. પ્રભુભક્તિ માટે તથા ઉતરવા માટે સુંદર સ્થળ છે. દહેરાસરની પાછળના ભાગમાં બગીચો છે. જેમાં દરેક રંગના ગુલાબો થાય છે. બગીચામાં દેરીમા ગુરૂગૌતમસ્વામીની સુંદર મૂર્તિ છે.
દર વર્ષે ચૈત્ર સુદ ૧૩ અહીં મેળો ભરાય છે. અહીંથી શ્રી રાણકપુર તીર્થ ૨૪ કિ.મી. દૂર છે. જ્યારે શ્રી નાડલાઈ તીર્થ ૧૬ કિ.મી. દૂર છે. પેઢી : શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી, મૂછાળા મહાવીર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org