SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય મહાતીર્થ ૧૯ મહિમાશાલી તીર્થાધિરાજ શ્રી શત્રુંજય મહાતીર્થનો પ્રભાવ અચિંત્ય છે. તીર્થેશ્વર શ્રી શત્રુંજય મહાતીર્થ જેવું ચૌદ રાજલોકમાં અન્ય એકેય તીર્થ નથી. મહિમાવંતા આ શ્રી શત્રુંજય મહાતીર્થના દર્શન, પૂજન, સ્તવન, વંદન ભકિત કરતાં આત્માનાં અનંતાનંત પાપો નાશ પામે છે. સમગ્ર ભારતવર્ષમાં સૌરાષ્ટ્ર દેશ મહાપવિત્ર ભૂમિ છે. રૂડી અને રળિ -ચામણી આ ભૂમિમાં અનેક તીર્થો આવેલાં છે. તે સર્વમાં મહિમાવંત શ્રી શત્રુંજય મહાતીર્થ સૌરાષ્ટ્ર દેશની શોભારૂપ છે. ભારતના પશ્ચિમ સમુદ્રકિનારા પર સેંકડો માઈલના વિસ્તારમાં સૌરાષ્ટ્ર દેશ ફેલાયેલો છે. ચોમેર નદી, નાળા, તળાવ, ગિરિશંગો તથા વિશાલ વનરાજીથી લીલો હરિયાળો આ પ્રદેશ ભારતનું નંદનવન ગણાય છે. શ્રી શત્રુંજય મહાતીર્થ અને શ્રી ગિરનાર મહાતીર્થ - સૌરાષ્ટ્રના બે મુખ્ય તીર્થો છે. એવી આ વાત છે : સૌરાષ્ટ્રમાં શંત્રુજી નદીના કિનારે આવેલ, જગતને ધર્મકલાનો સર્વ પ્રથમ સંદેશ આપનાર સૌથી મહાન અને શાશ્વતતીર્થ શત્રુંજયની કે જેની ઊંચાઈ સમુદ્રના લેવલથી ૧૯૦૦ ફૂટની છે. તળેટીથી રામપોળ સુધી પહોંચવાનો રસ્તો ૩ કિલોમીટર અને ૩.૧૫ હેકટોમીટર છે. તળેટીથી રામપોળ સુધી ૩૭૪૫ પગથિયાં છે. શ્રી શત્રુંજય તીર્થને મંદિરોનું નગર કહેવામાં આવે છે, કારણ કે ગિરિરાજ પર નવે ટૂકો પર થઈને ૧૦૫ મોટાં દેરાસરો છે, ૮૧૫ નાની દેરીઓ છે, પાષાણનાં પ્રતિમાજી ૧૧૦૯૪ તથા ધાતુનાં પ્રતિમાજી ૬૬પ છે. નવે ટૂંકોમાં થઈ પગલાં (પાદુકા)ની સંખ્યા ૮૯૬૧ છે. (સંવત ૨૦૩૫માં પ્રકાશિત થયેલ પુસ્તકોના આધારે). ધન્ય ધર્મભાવના શ્રી શત્રુંજય ગિરિરાજ પર ઉપર મુજબ મંદિરો આપણા પૂર્વજોએ કઈ રીતે બંધાવ્યા હશે? જે કાળમાં નવું મંદિર બનાવવું કે જૂના મંદિરનો જીર્ણોદ્ધાર કરાવવો કઠિન હતો, તે સમયમાં ગિરિરાજ પર આ મંદિરો બનાવવા આરસના પથ્થરો ઉપર કઈરીતે ચઢાવ્યા હશે? તેની પાછળ કેટલો ખર્ચ કર્યો હશે? ગગનચુંબી ભવ્ય દેરાસરને બંધાવનાર પુણ્યવાનોનાં દિલમાં કેટલી બધી તીવ્ર પ્રભુભકિત હશે? ખરેખર આ બધા ભાગ્યશાળીઓ પોતાની લક્ષ્મીનો સદુપયોગ કરી અમર અને ધન્ય બની ગયા. ધન્યએ શ્રદ્ધા, ધન્યએ ભકિત, ધાએ ધર્મભાવનાને. ગિરિરાજ પર એક એક ભગવાનને દર્શન કરવાની પ્રભુ ભકેિ ન કરવાની આપણી ભાવના હોવી જોઈએ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005200
Book TitleBharatna Mukhya Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorMahendrabhai Golwala
PublisherMahavir Shruti Mandal
Publication Year1996
Total Pages434
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy