________________
૧૬
ભારતનાં મુખ્ય જૈન તીર્થો કેવળજ્ઞાની, બાર હજાર છસો પચાસ મન પર્યવજ્ઞાની, નવ હજાર અવધિજ્ઞાની, બ્રાહ્મી સુંદરી મુખ્ય સાધ્વી સાથે ત્રણ લાખ સાધ્વીઓ, ત્રણ લાખ પચાસ હજાર શ્રાવકો, પાંચ લાખ ચોપન હજાર શ્રાવિકાઓ, ચાર હજાર સાતસો ચૌદ પૂર્વધરો, આ ઉપરાંત વૈક્રિય લબ્ધિવાળા, વાદી-પ્રતિવાદીનો સમુદાય ઘણો વિશાળ હતો.
વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર ઋષભદેવ શત્રુંજય તીર્થમાં દાદા પદથી વિરાજે છે. ભારત રાજાના સો યુવાન પુત્રો દાદાને વંદન કરવા ગયા અને તેમના ચરણમાં જ સ્થાયી થયા. ત્યારે ઋષભદેવ ભગવાન સૌને માટે દાદાના દરબારરૂપે નિર્માણ થયા.
શત્રુંજય - પાલીતાણા તીર્થમાં ભકિતરસની પ્રધાનતા છે. ત્યાં જતા યાત્રાળુઓની અન્ય કોઈ સ્પૃહા હોતી નથી. એક જ ભાવના દાદાના દર્શન!
દૂરથી આવ્યો, દાદા દર્શન ઘો.
શ્રી શત્રુંજય મહાતીર્થ
श्रीशत्रुजयतीर्थाय नमः।
श्रीआदिनाथाय नमः। श्रीपुण्डरीकगणधराय नमः ।
(મંગલાચરણ) શ્રી શંખેશ્વર પાસજી, પ્રણમી શુભ ગુરુ પાય; વિમળાચળ ગુણ ગાઈશું, સમરી શારદામાય પ્રાય એ ગિરિ શાશ્વતો, મહિમાનો નહિ પાર; પ્રથમ નિણંદ સમોસર્યા, પૂર્વ નવ્વાણુ વાર. અઢી દ્વીપમાં એ સમો, તીર્થ નહિ ફળદાય; કલિયુગ કલ્પતરુ લહી, મુકતાફળશું વધાય. યાત્રી નવ્વાણુ જે કરે, ઉત્કૃષ્ટ પરિણામ; પૂજા નવ્વાણ પ્રકારની, રચતાં અવિચળ ધામ.
માં રે !
L
૩ 1
૪ ા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org