________________
૩૦૦
શ્રી ક્ષત્રિયકુંડ તીર્થ શ્રી સુવિધિનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન ચાર કલ્યાણ કોની આ પાવનભૂમિ છે. ગુણીયાજીથી ક્ષત્રિયકુંડ જતાં આ ગામ વચ્ચે આવે છે. ગામમાં શ્રી સુવિધિનાથ ભગવાનનું મંદિર છે. જેનો જીર્ણોદ્ધાર થયેલો છે, જેમાં મૂળનાયક શ્રી સુવિધિનાથ ભગવાનની ૧૮ સે.મી.ની મૂર્તિ તથા ભગવાનની શ્યામ ચરણ પાદુકા છે. બાજુમાં ધર્મશાળા છે. શ્રી સુવિધિનાથ ભગવાનના પિતાનું નામ રાજા સુગ્રીવ અને માતાનું નામ રામાદેવી હતું. પિતાના આગ્રહથી પ્રભુએ રાજકન્યાઓ સાથે વિવાહ કર્યો. કેટલાયે વર્ષો સુધી પ્રભુએ રાજ્યભાર સંભાળ્યો. તેમના રાજ્યકાળમાં જનતા આનંદવિભોર હતી. એક દિવસ સંસારને અસાર સમજીને લોકાંતિક દેવોની વિનંતીથી વરસીદાન દેતાં સહસામ્રવનમાં એક હજાર અન્ય રાજાઓ સાથે માગશર વદ-૬ના દિને પ્રભુએ દીક્ષા અંગીકાર કરી. વિહાર કરતાં કરતાં ચાર માસ પછી પ્રભુ પુનઃ એ જ ઉદ્યાનમાં પધાર્યા અને માલૂવૃક્ષ નીચે કાયૌત્સર્ગમાં રહેતાં કારતક સુદ-ત્રીજે મૂળા નક્ષત્રમાં કેવળજ્ઞાન મેળવ્યું.
શી ક્ષત્રિયકુંડ-તીર્થ
લકવાડ
| #alહાર સ્વામી ભuna ઉર્જન સ્થળ.
; શ્રી મહાવીર સ્વામી ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા કલ્યાણકોની આ ભૂમિ છે.
રેલ્વે સ્ટેશનો લખીસરાય, જમુઈ, કિયુલ ત્રણે સ્ટેશનોથી લકવાડ ૩૦-૩૦ કિલોમીટર દૂર છે. સિંકદરાથી લછવાડ ૧૦ કિલોમીટર દૂર છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org