________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૩૩ ચઢાણ વખતે જલમંદિર અને પાછા ફરતાં શ્રી પાર્શ્વનાથ ભગવાનની ટૂક થઈને આવવું અનુકૂળ પડે છે.
જલમંદિરના માર્ગે આગળ વધતા અર્ધા માઈલ જતા કલકલ મધુર સંગીતથી સ્વરલહરી ગાતું સીતાનાળુ આવે છે. જે સદીઓથી આવી સ્વરલહરીનો ગુંજારવ કરે છે. આગળ ચઢાણ જરા વધારે કપરું આવે છે. જેને સરળ બનાવવા ૫૦૦ પગથિયા બનાવેલા છે. લગભગ અઢી માઈલ ચઢતાં જ આપણા તીર્થકર ભગવંતોના નિર્વાણ સ્થાનો પર નિર્મિત ટૂકોના દર્શન થાય છે. પ્રથમ શ્રી ગૌતમસ્વામીની ટૂક આવે છે. ચાલો ગૌતમાષ્ટક ગાઈ તેમની સ્તુતિ કરીએ.
શ્રી ગોતમાષ્ટક
અંગુઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર; તે ગુરૂ ગૌતમ સમરીએ, વાંછિત ફળ દાતાર. તાર તાર મુજ પ્રભુ, તું મુજ તારણ હાર; તે માટે તમને કહું, ભવજળ પાર ઉતાર.
“ વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિશ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલર્સ નવે નિધાન.
૧
ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત ફેલા સંપજે; ગૌતમ નામે નાવે રોગ, ગૌતમ નામે સર્વસંજોગ.
૨
જે વૈરી વિરૂઆ વંકડા, તસ નામે નાવે ઢંકડા; ભૂત પ્રેત નવિ મંડે પ્રાણ, તે ગૌતમના કરૂં વખાણ.
ગૌતમ નામે નિર્મળ કાય, ગૌતમ નામે વાધે આય; ગૌતમ જિનશાસન શણગાર, ગૌતમ નામે જય જયકાર. ૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org