________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૨૩૧
મધુવન તળેટી તેના નામ પ્રમાણે મધુવન છે. ચારે બાજુ ગિરિરાજ, વૃક્ષો, કુદરતી સૌન્દર્ય વચ્ચે આવેલી છે. તીર્થમાં પ્રવેશ કરતાં પ્રથમ તીર્થરક્ષક શ્રી ભોમિયાદેવનું મંદિર આવે છે. શ્રી ભોમિયાદેવની પહાડના આકારની ભવ્યમૂર્તિ છે. શ્રી ભોમિયાદેવ તીર્થની તથા યાત્રિકોની રક્ષા કરે છે. તીર્થમાં પેસતા-પાછા જતાં ગિરિરાજ ઉપર ચઢતાં-ગિરિરાજ ઉપરથી આવતા યાત્રિકો સૌ પ્રથમ ભોમિયાદેવના દર્શન કરે છે, કારણ કે યાત્રા કરવા જતા -
શ્રી ભોમિયાદેવના દર્શન કરવાથી યાત્રા સુખરૂપ થાય, રસ્તામાં ભૂલા પડાય નહિ, કોઈ જાતની હેરાનગતિ થાય નહિ. પાછા વળતાં આપની કૃપાથી યાત્રા સુખરૂપ થઈ તે માટે દર્શન કરવા જાય છે. શ્રી ભોમિયાદેવ ખૂબ પ્રભાવિક છે. સ્મરણ કરનાર ભકતનું વિઘ્ન હરનારા સાક્ષાત જાગતી જ્યોતિરૂપ છે.
કોઠીમાં પેસતા ધર્મશાળાઓ આવે છે. ભોજનશાળા પણ છે. સુંદર બગીચો છે. રંગબેરંગી તરેહ-તરેહના સુગંધી પુષ્પો થાય છે, તે દેવપૂજનમાં વપરાય છે. અગિયાર મંદિરોનો મોટો સમૂહ છે. પરોઢિયે તથા સંધ્યાકાળે મંદિરો ખૂબ ભવ્ય લાગે છે. પાલીતાણાની એક ટૂક હોય તેવું લાગે છે.
(૧) મુખ્ય મંદિર શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનનું છે. તેમાં ૩૬ ઈંચની શ્રી શામળિયાજી પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિ છે. તેની એક બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાન તથા બીજી બાજુ શ્રી શીતલનાથ ભગવાનની શ્વેત પ્રતિમાઓ છે. (૨) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. ઉપરના માળે શ્રી ચૌમુખજી સુપાર્શ્વનાથ ભગવાન છે.
(૩) શ્રી ચંદ્રપ્રભસ્વામીનું મંદિર છે.
(૪) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
(૫) શ્રી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
(૬) વીસ તીર્થંકરોની ચરણપાદુકા છે.
(૭) શ્રી ગોડી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે. મંદિરના ઉપરના માળે શ્રી સંભવનાથ ભગવાન છે.
(૮) શ્રી ચિંતામણી પાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે જેમાં અઢી હાથ ઊંચી શ્રી પાર્શ્વનાથ ભગવાનની શ્યામ પ્રતિમાજી બિરાજમાન છે.
(૯) શ્રી સુપાર્શ્વનાથ ભગવાનનું મંદિર છે.
(૧૦) શ્રી શુભસ્વામી ગણધરનું મંદિર છે. તેમાં શ્રી શુભસ્વામી ગણધરની એક હાથ મોટી મૂર્તિ સાધુ સ્વરૂપમાં છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org