________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૯૭ અનેક પ્રકારના ઉચા મંડપો અને અનેક પ્રકારની નકશીવાળી પૂતળીઓથી સુશોભિત મંદિરને જોઈ લોકોનાં ચિત્ત અશ્ચર્યમગ્ન બની ગયાં. મંદિરની ચારે બાજુએ ચાર ઉજ્જવળ ભદ્રપ્રાસાદો બનાવ્યાં. આમ નંદીશ્વરદ્વીપના અવતારસમું. અને ત્રણે લોકમાં દેદીપ્યમાન લાગતું હોવાથી તેનું નામ ત્રૌલોકવદીપક' રાખવામાં આવ્યું. આ મંદિર ત્રૌલોકયદીપક, ત્રિભુવનવિહાર, નલિની ગુલ્મ વિમાન, ચતુર્મુખપ્રાસાદ, અને ધરણવિહારના નામથી ઓળખાય છે. એચૌમુખી મંદિર ઉપર ચાર શિખરો છે. ત્રણે માળના મળી કુલ-૧૨ શિખરો શોભી રહ્યા છે. તેમાં સુવર્ણના દંડો - કલશો તો ત્રણે ભુવનનો મોહ પમાડે એવા છે. દેવછંદો, સાત મંદિરમાં ચાર ચાર જિનેશ્ર્વરો, વશવિહરમાન જિન અને ચોવીશે તીર્થકરોનાં મળી ૭૨ જિનાલયો છે. નલિની ગુલ્મવિમાનની માંડણીવાળું આ મંદિર બહુ ઉચું છે. પાંચ મેરૂ, ચારે તરફ મોટા ગઢ, બ્રહ્માંડના જેવી બાંધણી, ૮૪ દેરીઓ, ચારે તરફ ચાર પોળો, ૧૪૪૪ થાંભલાઓ, એકેક દિશામાં બત્રીસ-બત્રીશ તોરણો, ચારે દિશામાં ૪ વિશાલ રંગમંડપો, સહસ્ત્રકૂટ, અષ્ટાપદ, નવ ભોયરા, અનેક જિનબિંબો, રાયણવૃક્ષ અને તેની નીચે શ્રી ઋષભદેવ ભગવાનની પાદુકાઓ, અદબંદમૂર્તિ વિગેરે છે, ત્રણ માળના મંદિરમાં ૪૦૦૦ જિન પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.
વિવિધ પ્રકારની અનેક પુતળીઓ અને ઝીણા કોતરકામથી આ મંદિર આબુના બીજા અવતારસમું લાગે છે.
પંદરમી સદીમાં રાણકપુર ઘણું આબાદ અને સમૃધ્ધ નગર હતું. કહેવાય છે કે આ નગર અણહિલપુર પાટણ જેવું હતું. તેના ગઢ, મંદિરો, પોળો, અત્યંત સુંદર હતા. નગરની વચ્ચે સરિતાના પાણી વહેતા હતા. કુવા, વાવ, વાડી, હાટતથા સાત જિનમંદિરો હતા. પરંતુ હાલ ત્રણ મંદિરો છે. તે જમાનામાં જૈનોના ૩૦૦૦ ઘરો વિધમાન હતાં. (૧) મૂળનાયક પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાનની ચૌમુખ પ્રતિમાજીઓ
છે. મૂળનાયક ભગવાનની સામે એક હાથી ઉભેલો છે. ' (૨) પાંચસો વર્ષથી ઉભેલું રાયણવૃક્ષ અને તેની નીચે શ્રી ઋષભદેવ ભગવાનનાં
પગલાં છે. (૩) સમેતશિખરજીની કોતરણીવાળી રચના છે. (૪) અષ્ટાપદની રચના છે. (૫) બે મોટી શિલા પર યંત્રાકારે નંદીશ્વર દ્રીપની કોતરણી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org