________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૭૭ વિરતામાં, જીવદયામાં મોખરે હતી, અને સુવર્ણ નગરી તરીકે ઓળખાતી હતી. હાલમાં ૮૪ મોટાં અને ૧૩૪ નાનાં દેરાસરો છે તથા જ્ઞાનભંડારો છે. પુરાણા સ્થાપત્યોમાં રાણીવાવ તથા સહસ્ત્રલીંગ તળાવ મુખ્ય છે. પાટણના પટોળા વિશ્વવિખ્યાત છે.
પાટણમાં ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
થી મારૂ૫ તીર્થ
શ્રી ચારૂપ તીર્થ પાટણથી ૧૦ કિલોમીટર દૂર છે. પ્રાચીન કાળમાં અષાઢી શ્રાવકે ત્રણ પ્રતિમાજીઓની પ્રતિષ્ઠા કરાવી હતી. તે પૈકીના શ્રી શ્યામલા પાર્શ્વનાથ ભગવાન છે. હાથીઓથી શોભતું ભવ્ય દેરાસર છે. * ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
Aી પેત્રાણા તીર્થ
સિદ્ધપુરથી ૧૬ કિલોમીટર દૂર છે, પાટણથી પણ ચારૂપથઈમેત્રાણા તીર્થ જવાય છે. ૧૪મી સદીનું આ તીર્થ છે.
પ્રથમ તીર્થકર શ્રી આદીશ્વર ભગવાનની પૂબજ પ્રાચીન પ્રતિમાજી છે.
શ્રી આદીશ્વર ભગવાન, શ્રી શાંતિનાથ ભગવાન, શ્રી કુંથુનાથ ભગવાન, શ્રી પદ્મપ્રભસ્વામી ભગવાનની પ્રતિમાજીઓ સંવત. ૧૮૯૯માં જમીનમાંથી મળી આવ્યા હતા.
ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ છે.
જો કોઇ ટી. વીલમણીમાં
શ્રી વાલમતીર્થ વીસનગરથી ૧૦ કિલોમીટર અને ઉંઝાથી ૧૧ કિલોમીટર દૂર છે. આ તીર્થનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. અષાઢી શ્રાવકે ભરાવેલ મૂળનાયક શ્રી નેમિનાથ ભગવાનની પદ્માસનસ્થ શ્યામ વર્ણના ભવ્ય પ્રતિમાજી છે.
દેરાસર, ઉપાશ્રય, ધર્મશાળા, ભોજનશાળાની સગવડ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org