________________
ભારતના મુખ્ય જૈન તીર્થો
૧૬૧ વર્ષમાં દેવવિમાન જેવું બાવન જિનાલયવાળું મંદિર બનાવી તેમાં મૂળનાયક તરીકે શ્રીધર્મનાથ ભગવાનની પ્રતિષ્ઠા સંવત. ૧૬૫૪માં આચાર્ય શ્રી વિજયસેનસૂરીશ્વરજી મહારાજના વરદ હસ્તે કરાવી. આ મંદિરનું શ્રી રત્નતિલક પ્રાસાદ નામ રાખ્યું. મંદિરમાં શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ભગવાનની બે સુંદર પ્રતિમાજીઓ છે. શ્રી મરૂદેવા માતા શ્રી આદીશ્વર ભગવાનને દર્શન કરવા જાય છે તેની રંગમંડપમાં ભગવાનની સામે મૂર્તિ છે. આ તીર્થ સાસુ-વહુના દેરાસરો તરીકે પ્રખ્યાત છે.
જ્ઞાનભંડાર, ઉપાશ્રય, વિશાલ ધર્મશાળા તથા ભોજનશાળાની સગવડ
પેઢી - શ્રી રિખવદેવજી મહારાજ જૈન દેરાસર કાવી - ૩૯૨ ૧૭૦ તાલુકો – જંબુસર, જિલ્લો - ભરૂચ
હ8
શ્રી ગધાર તીર્થ
ભરૂચથી ૪૫ કિલોમીટર દૂર શ્રી ગંધાર તીર્થ આવેલ છે. જ્યારે કાવીથી જંબુસર થઈને ૬૫ કિલોમીટર દૂર છે. આ તીર્થની મધ્યકાલીન યુગથી આજ દિન સધી સર્જન-વિસર્જનની ઘટમાળા ચાલતી રહી છે. મધ્યકાલીન યુગમાં આ મોટું બંદર હતું. દેશ - પરદેશના વહાણોની આવજા થતી હતી. ગંધાર ગુજરાતનું બીજા નંબરનું બંદર હતું. વિક્રમની સત્તરમી સદીમાં પરમપૂજ્ય જગતગુરૂ આચાર્યદેવ શ્રી વિજયહિરસૂરિશ્વરજી મહારાજે ત્રણસો સાધુ તથા સાતસો સાધુ તથા સાધ્વીજી સાથે ત્રણ ચાતુર્માસ કરેલા.
| મોગલસમ્રાટ અકબર બાદશાહને પ્રતિબોધ આપવા શ્રી હીરસૂરિશ્વરજી મ. સા. અત્રેથી માન સાથે ફતેપુર સીક્રી ગયા હતા. છેલ્લા મોગલ બાદશાહ ઔરંગઝેબના સમયમાં આ બંદરનો નાશ થયો, ત્યારે આ બંદર મરાઠા શાસન હેઠળ હતું. મોગલ -મરાઠાના વેરથી આ બંદરનો નાશ થયો. ગંધારમાં કુલ – ૧૭ દેરાસરો હતા. મુસલમાન યુગમાં મૂળનાયક શ્રી અમીઝરા - પાર્શ્વનાથ ભગવાનને ભોંયરામાં ભંડારી દીધા, બાકીના પ્રતિમાજીઓને બાજાના રજપૂત રાજ્ય દહેજમાં મોકલી આપ્યા. શ્રી હીરસૂરિશ્વરજી મ.સા. ની ૩૦સે.મી. ઉથી પ્રાચીન પ્રતિમાજીને પણ દહેજ લઈ ગયા જે દહેજમાં છે. હાલ અત્રે ત્રણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org