SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ જનિત કલા અને અશાન્તિનાં ને શમાવવા પર છે અને અજ્ઞાનતા તથા નિબળતાને હાંકી કાઢવા પરત્વે છે. આમ પ્રેરણાદાયક અને ખળવર્ધક ઉપદેશ ત્યાગીઓના મુખથી જેટલા અસરકારક થાય તેટલા બીજાના મુખથી ન થાય. આવા ઉપદેશ દ્વારા ત્યાગીએ દેશનું, સમાજનું, અને ધમનું જેટલું ભલું કરી શકે, તેટલું બીજાએ ન કરી શકે. સુતરાં ત્યાગીઓ દ્વારા તેવા ઉપદેશ થવામાં શાસનની સુન્દરમાં સુન્દર સેવા છે. એ રીતે ધર્મનું સરસ ઉદ્યતન થાય એ વાતની કોણ ના પાડી શકો? સંસારમાં મતભેનું પ્રચલન આજનું નથી, અનાદિથી છે. સર્વાના સમયમાં પણ જગમાં મતભેદનું પૂર જેશબંધ વહ્યા કરતું હતું. દુનિયામાં એક મતની સ્થાપના કોઈ કાળે થઈ નથી અને કદી થઈ શકે જ નહિ. જગને અવંજ વિભિન્ન અને વિચિત્ર વૃત્તિઓને સમૂહ. પૂવ કાળના મહાન થતપ્રણેતા પ્રવચનધર મહર્ષિઓ પણ મતભેદોથી ખાલી નથી રહ્યા. ઉદ્ધરણાથ, કેવલજ્ઞાન-દર્શનના સમ્બન્ધમાં શ્રીજિનભદ્રગણિજી કમવાદન, શ્રીમલવાદી યુગ૫દ્વાદના અને શ્રી સિદ્ધસેન દિવાકર મદવાદના હિમાયતી છે. અને એ મતત્રયનાં પારાયણ શાસ્ત્રમાં બબ ચાલ્યાં છે. નજીકના ટાઈમની વાત કરીએ તે શ્રીહીરવિજયસૂરિજીના સમયમાં ધમસાગરજીના મતભેદે ક્યાં ઓછા ફાટી નિકળ્યા હતા ! એ વખતે મુનિઓની પાટીએ વચ્ચે પરસ્પર વિચારની અથડામણ કેટલી હતી? પણ વિચાર-ભેદો માટે રાગ-દ્વેષ પિષવાના ન હોય. અનેકાન્તને પૂજારી હમેશાં સત્યને જિજ્ઞાસુજ હોય, એટલે સામ્પ્રદાયિક દુહ અને મતદુરાગ્રહ તેનામાં હાયજ શેના? જે કઈમાં એ જે હોય તેણે તે છાડવા જ જોઈએ અને પોતાની મધ્યસ્થ વૃત્તિને ખૂબ કેળવવી જોઈએ. શુદ્ધ વિચારદષ્ટિથી પોતાના મન્તવ્યને પરામર્શ કરતાં તેમાં પિતાની ભૂલ જણાય તે તેને ત્યાગ કરવામાં સંકોચ ન રાખતાં બીજાની ખરી જણાતી વાત કબૂલ કરવામાં સુજ્ઞ જનને હર્ષ અનુભવા જોઈએ. સરલ વૃત્તિ અને ગુણગ્રાહકતાને ગુણ એ આત્મવિકાસની પ્રથમ ભૂમિકા છે. આત્માના નૈતિક બળની એ ઝળહળતી જત છે. છેવટે હાલની સ્થિતિ પર ગુરૂદેવને વિનવીએ કે, મતભેદે તેવા છતાં પરસ્પર ઉદાર વ્યવહાર રાખી સંગઠનબળમાં વિચ્છેદ ન પડવા દેવામાં તેમના સાધુત્વની ખરી કિસ્મત છે. મતભેદ છતાં મૈત્રી રાખી શકવાનું વિશાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy