________________
રૂપિયા વેરવા છતાં હદયશુદ્ધિ વગરને માટે શ્રીમન્ત કે મહારાજા પણ કેરો ધાર” રહી જાય છે. “લે દેવ ચોખા ને છોડ મારે છે” જેવું કરીને દેરાસરનાં પગથિયાં ઘસી નાંખ્યાં, પણ આ કઠણ કાળજા ન પિગળ્યાં!
મુહમેં રામ ઔર બગલમેં છુરી,
ભગત ભયે પર દાનત બુરી!” હૃદય-પલટે ન થાય, વિચાર અને આચરણ શુદ્ધ ન થાય, સદાચારના પાઠો જીવનમાં ન ઉતરે, તે પ્રભુ-પૂજા કરી કેમ કહેવાય. પ્રભુની પૂજા તેની આજ્ઞાનું પાલન કરવામાં છે. દેવાલયે જઈએ છીએ મનના રોગો દૂર કરવા માટે, અન્દરના મેલ ધેવા માટે, મહાન આત્માના મહાન જીવનમાંથી મહાન આદર્શોના અભ્યાસ માટે, મહાન ભાવનાઓ અને ઉજવળ પ્રેરણાએ મેળવવા માટે. આ માટે આપણે પ્રભુ-મન્દિરે જઈએ છીએ. શુદ્ધ હૃદયમાં પ્રભુ બીરાજે છે. નાપાક જગ્યાથી આપણે છેટા ભાગીએ છીએ, તે આપણું હૃદય નાપાક હોય તે ત્યાં પ્રભુ કેમ પધારે! સ્થળ મન્દિર એ સાધન છે. એને સદુપયેગ કરી આપણે ખરૂં તે શારીરિક મદિરમાં બીરાજેલ આત્મદેવનું અર્ચન કરવાનું છે. અને તે જીવન-વિકાસના માર્ગે થાય. અને એ માર્ગે—
વત્રનેત્રો મારાં પુના એ જાતના “અન્યાશ્રય” ની “આંટીઘૂંટી” ને નિકાલ આવી જાય. જીવનના મહાન સિદ્ધાનું પાલન એજ આત્મદેવનું આરાધન. અને એજ વાસ્તવિક રીતે ઈશ્વર–પૂજન. અહિંસા, સત્ય વગેરે આઠ ગુણોની આરાધના એ પ્રભુની અષ્ટપુષ્પી પૂજા છે, એમ હરિભદ્રાચાર્ય પિતાના અષ્ટકમાં જણાવે છે. આ અષ્ટપ્રકારી પૂજા ક્યારે કરશે? “દ્રવ્યપૂજા' તે એક ઉપચાર છે. મુખ્ય પૂજા “ભાવપૂજા” છે. અને ભાવપૂજામાંથી “આચરણુપૂજા” થવી જોઈએ. ત્યારે જીવનનું કલ્યાણ થાય.
(આ સઘળે સ્મરણભકિત, દર્શનભકિત અને સ્પર્શનભક્તિ એમ ભકિતની વિવિધતા સમજાવી તે પર એક પિતા-પુત્રને રમુજ કિસ્સો સંભળાવ્યું હતું.) ગુરૂભક્તિ.
કહેવાય છે કે હિન્દમાં છપ્પન લાખ બાવા છે. પણ પથરે પથરે મણિ નથી લેતા. સાચા સન્ત વિરલા છે. ગુરૂનું ગૌરવ ગુરૂના ચારિત્રમાં છે.
गुणाः पूजास्थानं गुणिषु न च लिंग न च वयः" પૂજાભાજન ગુણના ગુણ છે, લિંગ, વેષ કે વય નથી. વેષ વગરનું પણ ચારિત્ર પૂજનિક છે, પણ ચારિત્ર વગરને વેષ પૂજનિક નથી. ઉલ્ટે એ દશ્લ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org