________________
પકડ ૨૨૩
બને છે, તે આ મહાવિષમ કાળમાં તે “ જાતિસ્મરણ” જેવા ભાવોની જેમ ખાસ કરીને અત્યન્ત વિરલ હોય એ સમજી શકાય તેવી બીના છે.
જન્મથી અવધિજ્ઞાનવાળા તીર્થકર ભગવાન હોય અને બીજા પણ હોઈ શકે. પણ તેવા ઓછા. છતાયે અવધિજ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ ૬૬ સાગરેપમની લખાઈ ગઈ. તે પ્રમાણે, આઠ વર્ષની વયે દીક્ષા પરિણતિધારક બહુ વિરલ હેય. છતાંયે દીક્ષાની એડીમાં ઓછી વય આઠ વર્ષની બતાવાય.
નવ વર્ષની ઉમરે કઈક વિરલને કેવલજ્ઞાન થાય. તે પણ કેવલજ્ઞાન-લાભની ઓછીમાં ઓછી વય બતાવવી હોય તે નવ નષની નોંધાવી જોઈએ. તે પ્રમાણે દીક્ષા પરિણતિની ઓછીમાં ઓછી વય આઠ વર્ષની બતાવાય. પણ તેટલી ઉમ્મરે દીક્ષા પરિણતિધારક કેટલા? કઈ વિરલ.
શુકલેશ્યાની મનુષ્યગતિગત સ્થિતિ વધારેમાં વધારે નવવર્ષ–ઊન પૂર્વ કેટી બતાવી છે. પણ એ કઈક વિરલનેજ હોય. તેમ ઓછીમાં ઓછી આઠ વર્ષની વયે સર્વવિરતિલાલ બતાવાય, પણ તેટલી વયે તે લાભ કે ઇક વિરલને જ સાંપડે.
કઈ પણ વસ્તુને વિરલમાં વિરલ દાખલે પણ તેની સ્થિતિને પરામર્શ કરતાં ખ્યાલમાં રાખવું જોઈએ છે અને તેની ધમાં તેને સમાવેશ છૂટી ન જાય એ પર ધ્યાન રખાય છે—તેમાં તેને સમાવેશ આપવું પડે છે. આ વસ્તુસ્થિતિ શાસ્ત્રશલીના અભ્યાસીને સમજાવવી પડે તેમ નથી.
જેમ નવ વર્ષની ઉમ્મરે કેવલજ્ઞાનલાભ લખાય છે, તેમ આઠ વર્ષની ઉમરે સર્વવિરતિલાભ લખાય છે. એટલી ઉમ્મરે કેવલજ્ઞાનલાભ વિરહ, તેમ એટલી ઉમ્મરે સર્વવિરતિલાભ પણ વિરલજ.
પરમાત્મા કેવલજ્ઞાની સર્વવિરતિ પરિણામ ઓછામાં ઓછો આઠ વર્ષની ઉમ્મરે જુએ છે. કેમકે ઓછીમાં ઓછી નવ વર્ષની ઉમ્મરમાં કેવલજ્ઞાન પ્રકટ થવાનું તેઓ ફરમાવે છે. કેવલજ્ઞાન સર્વવિરતિ વગર પ્રકટ થાય જ નહિ. એટલે કેવલજ્ઞાનલાભની ઓછીમાં ઓછી ઉમ્મર નવ વર્ષની હેવાથી અને કેવલજ્ઞાન સર્વવિરતિમય આત્મજીવન થયા વગર અશક્ય હેવાથી સર્વવિરતિપરિણામ ફરસવાની ઓછામાં ઓછી ઉમ્મર આઠ વર્ષની નોંધાવી તદન યોગ્ય છે. વસ્તુતઃ શાસ્ત્રમાં જે દીક્ષા બાબત આછામાં ઓછી આઠ વર્ષની નેંધ છે તે દીક્ષા-વેષના ધારણુ સાથે ખાસ સબંધ નથી ધરાવતી, કિન્તુ તત્વદષ્ટિએ સર્વવિરતિપરિણામના લાભ સાથે સમ્બન્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org