________________
- આત્મોન્નતિ.
૧
મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીનું ભાષણ.
[ શ્રીમુંબઈ–જેનયુવક સંઘ તરફથી ન્યાયવિશારદન્યાયતીર્થ મુનિ મહારાજ શ્રીન્યાયવિજયજીએ તા. ૧૫-૭-૩૧ ના રોજ પાયધુની ઉપર આવેલ શ્રી આદીશ્વરજીની ધર્મશાળામાં આપેલું ભાષણ નીચે મુજબ છે. ]
પ્રાણી માત્રની પ્રવૃત્તિ સુખને માટે છે. દરેકને સુખ ઈષ્ટ છે અને દુઃખ અનિષ્ટ છે. આપણે પરમેષ્ઠીનમસ્કારનું સ્મરણ કરીએ છીએ. પણ નમસ્કારમત્ર કેટલે મડવશાલી, કેટલે પ્રભાવશાલી છે તે સમજવાની જરૂર છે. એ મન્ચમાં પાંચ પરમેષ્ઠીઓની સ્થાપના છે. પરમેષ્ઠી એટલે પરમપદ પર સ્થિત. અન્ન અને સિદ્ધ એ પરમપદ પ્રાપ્ત હેઈને પરમેઠી છે. બાકીના ત્રણ પરમેષ્ઠી થવાને મહાન અભ્યાસ કરી રહ્યા છે એટલા માટે પરમેષ્ઠી કહેવાય છે. અહંનું અને સિધ્ધ એ દેવ છે અને શેષ ત્રણ ગુરૂઓ છે. અહીનું એ સાકાર ઇશ્વર છે, જ્યારે સિદ્ધ નિરાકાર ઈશ્વર છે. આમ નમસ્કાર-મન્ન સાકાર, નિરાકાર ઈશ્વરવાદીઓના કલહ-કોલાહલને ફેંસલે કરી આપે છે. અને દેહધારણ કર્મ અવશિષ્ટ છે, જયારે સિદધ સપૂર્ણ અકર્મક છે. આ દષ્ટિએ પહેલે પટે અને ન મૂકતાં સિધને મૂકવા જોઈએ એમ પ્રાશ્ચિકને પ્રશ્ન થાય છે. પણ અહંનું શેષ ચારે પરમેષ્ઠીઓનું મૂળ કેન્દ્રસ્થાન છે, એટલે તે પહેલે પદે મૂકાયા છે. અનમાંથી સિધ્ધ થવાય, અન દ્વારા આચાર્યાદિ બને, આમ સિદ્ધાદિ પરમેષ્ઠીઓનું મૂળ અહંનું છે. એ સર્વપ્રકાશક છે, લેકષ્ટિ-સમક્ષ પ્રત્યક્ષ દેહધારી ઈશ્વર છે, વિશ્વને મહાન્ ઉપકારક છે, વિશ્વવ્યાપી ધર્મસંસ્થાને યાજક છે. એટલા માટે એ પ્રથમ પદે સ્થાપિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org