________________
-
પર્યુષણા
અને
વ્યાખ્યાતા
ન્યાયવિશારદ-ન્યાયતીર્થ શ્રીન્યાયવિજયજી મહારાજ
પર્યુષણાના દિવસે એ જેનેના પવિત્રમાં પવિત્ર દિવસો છે. એ દિવસમાં આત્મશુદ્ધિ કરવાનું ફરમાન છે. બારે બારે મહીને એ સ્વગીય ગંગા આપણી વચ્ચે આવી ઉતરે છે. એમાં સ્નાન કરી આત્મશુદ્ધિ મેળવવાની છે. એ ન કરાય તે એ “ગંગાનું અપમાન થાય. વરસે વરસે એ “પર્વ-દેવ’ આપણું સામે આવીને ખડે થાય છે; અને, પરમાત્માનું આદર્શ જીવન શ્રવણ કરીને અને ધાર્મિક ક્રિયામાં પ્રવેશ કરીને આત્મમલનું પ્રક્ષાલન કરવાને દિવ્ય સંદેશ આપણને સુણાવી જાય છે. એ સદેશને આજ લગી આપણે કેટલે ઝીલ્ય છે એને વિચાર કરી આવે છે વારૂ ! આપણા વિચાર–પ્રદેશ અને વર્તનવ્યવહારમાં આટ આટલાં પયુંષણની કંઈ પણ દીપ્તિ પ્રવેશવા પામી છે કે ? દિવસે દિવસે ઉજજવળ થવાને બદલે વધુ કાળા તે નથી થતા જતા ને? એક ઇંચ આગળ વધવાને બદલે પચાશ હાથ પાછળ તે નથી ખસતા જતા ને? આટ આટલાં પર્યુષણે વીતાવવા છતાં આપણું અધઃપતન ન અટકે એ શું? કઈ વિચાર આવે છે ? સમજી રાખે કે પર્યુષણ પર્વનું મુખ્ય આરાધન હૃદયશુદ્ધિ સંપાદન કરવામાં છે. એ વગર કેરી ધૂમધામથી તે કેને દહાડે વળે છે! ગાડરીયાપ્રવાહે તે અનેક પયુંષણે વીતાવ્યાં,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org