SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૬૧ છે. કેમકે તેમને ત્વગિન્દ્રિયરૂપ લાપશમિકભાવ, તિયંગતિ આદિ ઔદયિક . ભાવ અને જીવલ્વાદિ પરિણામિક ભાવ એમ ત્રણ ભાવો છે. જ્ઞાનાવરણને પશમ દરેકે દરેક જીવમાં, પરમસૂક્ષ્મ જીવમાં પણ છે. એટલે આ ત્રણ ભાવ તે દરેકે દરેક છઠંસ્થ જીવમાં હેયજ છે. ગુણસ્થાનમાં ભાવ. અવિરત-સમ્યગ્દષ્ટિ આદિ ચાર ગુણસ્થાનમાં ત્રણ અથવા ચાર ભાવ પ્રાપ્ત હોય છે. એ ચાર ગુણસ્થાનમાં જે ક્ષાપશમિક સમ્યકત્વ હોય તે ત્રણ ભાવ સમજવા; અને જે આપશમિક યા ક્ષાયિક સમ્યકત્વ હોય તે ચાર 'ભાવ જાણુંવા. જ્યાં સમ્યકત્વને લગતો ક્ષયપશામક ભાવ ન હોય ત્યાં પણ ઇન્દ્રિયાદિરૂપ ક્ષાપશમિકભાવ તે સ્પષ્ટ જ છે. અને તે બારમાં ગુણસ્થાન સુધી છે. અને પાંચમા-છડા-સાતમા દેશવિરતિ-સર્વવિરતિ પણ ક્ષાયે પશમક ભાવ છે. - નવમા અને દશમા ગુણસ્થાનોમાં ચાર ભાવો હોય છે. એ ગુણસ્થાનવાળા જે ઉપશમશ્રેણીવાહી હોય તે તેમને પરામિક યા ક્ષાયિક સમ્યકત્વ હોય; અને જે ક્ષપકશ્રેણીવાહી હોય તે તેમને ક્ષાયિક સમ્યકત્વ જ હોય. આમ તેમને ચાર ભાવો સમજવા. કેટલાકના મતે તે ગુણસ્થાનમાં ઉપશમશ્રેણીવાહને એ પથમિક ચારિત્ર પણ ગણાય છે. તેમના મતે તે ગુણસ્થાનમાં ઉપશમણીવાહીને આપશમિક ચારિત્ર માનીએ તે ક્ષાયિક સમ્યકત્વની ગણના કરતાં પાંચ ભાવો 'પણ ગણાવાય. અગ્યારમા ગુણસ્થાનમાં ચાર યા પાંચ ભાવ હોય છે. ત્યાં જે ચિક સમ્યકત્વ ન હોય તો ચાર ભાવ, અને હોય તે પાંચ ભાવ સમજવા. આઠમા અને બારમા ગુણસ્થાનમાં ચાર ભાવે હોય છે. આઠમામાં સાયિક યા પશમિક એ બેમાંથી એક સમ્યકત્વ તો હોય જ, એટલે ચાર. બારમામાં ક્ષાયિક સમ્યકત્વ અને ચારિત્રના અવશ્યમ્ભાવને લીધે ચાર. મિથ્યાષ્ટિ-સાસ્વાદન-મિશ એ ત્રણ ગુણસ્થાનમાં પથમિક કે ક્ષાયિક વસ્તુ કોઈ નથી એટલે ત્રણ ભાવ. તેરમા અને ચાદમાં ગુણસ્થાનમાં આપશમિક અને ક્ષાપશમિક ભાવ ન હોવાથી ત્રણ ભાવ. સામાન્ય પ્રકારે અનેક જીવાપેક્ષય વિચારીએ તે ચોથાથી અગ્યારમાં ગુણસ્થાન સુધીના દરેક ગુણસ્થાનકમાં પાંચ ભાવે લાભી શકે. કેમકે ચેથાથી સાતમા સુધીના દરેક ગુણસ્થાનમાં ક્ષાપશમિક, પથમિક અને ક્ષાયિક એ ત્રણે સમ્યકત્વને સંભવ છે. સમ્યકત્વની દૃષ્ટિએ ચતુર્થગુણસ્થાની, પંચગુણસ્થાની, પછગુણસ્થાની અને સપ્તમગુણસ્થાની ત્રણ ત્રણ ભાગમાં વહેચાય છે. જેમકે ચતુર્થગુણસ્થાની ત્રણ પ્રકારના-ક્ષાપશમિકસમ્યકત્વ ધારક, ઔપશમિકસમ્યકત્વ ધારક અને ક્ષાયિકસમ્યકત્વધારફ એમ પાંચમા, છઠ્ઠા અને સાતમાં ગુણસ્થાનવાળા માટે પણ સમજવું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy