SearchBrowseAboutContactDonate
Page Preview
Page 13
Loading...
Download File
Download File
Page Text
________________ છે સમર્પણ છે M ધર્માત્મની શ્રીમતી લીલાવતી બહેન ! મહારાજ શ્રીન્યાયવિજયજીના મુંબઈ–કેટના ચતુર્માસમાં કેટના સુપ્રસિદ્ધ શ્રાવક સ્વ. શ્રીમાન શેઠ દેવીદાસ કાનજીએ અસ્વસ્થ હાલતમાં પણ મહારાજશ્રીના ધમપ્રચાર–કાર્યમાં સંપૂર્ણ પ્રોત્સાહન આપી અને તેને અંગે સપૂર્ણ સેવા બજાવી ધર્મભક્તિને જવલન્ત પ્રકાશ વહેવડાવે છે. તે ધાર્મિક પુરૂષની ધર્માત્મની ધર્મપત્ની આ૫ શ્રીમતીએ તેમના અવસાન પર મરણને લગતી તમામ કુરૂઢિઓ પર છીણ મૂકી સમાજ-સુધારને માગ ખેલવામાં જે પુરૂષાથ ફેરવ્યો છે અને એ રીતે આપનાં જ્ઞાન, શિક્ષણ અને સંસ્કારનું સક્રિય પરિણામ જે ઉજવળ કટીનું આ૫ લાવ્યા છે તે માટે આપ સમાજમાં એક જ્વલન્ત આદર્શરૂપ બન્યાં છો. મહારાજશ્રીના ચતુર્માસમાં આપના સ્વામીની આજ્ઞાનુસાર ધર્મપ્રભાવનાનાં કાર્યોને દરેક તકે દીપાવવામાં આ૫ ખૂબ ઉત્સાહપૂર્ણ રસ લીધો છે. માધવબાગમાં મહિલાઓની જાહેર મિટિંગ બોલાવી તેમને મહારાજશ્રીને વ્યાખ્યાનનો લાભ અપાવવામાં આપે અગ્રભાગ ભજવ્યું છે. આપની રાષ્ટ્રભક્તિ, શાસનસેવા અને સામયિક ભાવનાને પ્રકાશ આપની અવાર નવાર ચાલુ રહેતી તથવિધ પ્રવૃત્તિઓથી હંમેશાં પ્રસરતે રહે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005199
Book TitleNyayvijayjinu Mumbai Chaturmas
Original Sutra AuthorN/A
AuthorNyayavijay
PublisherNyayvijay
Publication Year1932
Total Pages268
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy