SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન દાનવીરે ૩ જગડુશાહ ( ગુજરાતને કુબેર) જે વખતે મહમદ બેગડો ગુજરાતમાં રાજ્ય કરતા હતા તે વખતે ૧૩૧૫ માં એક ભયંકર દુષ્કાળ પડે હતો. એ દુષ્કાળ એકલા ગુજરાતમાં નહોતો પરંતુ કચ્છ, સીંધ, પંજાબ, દક્ષિણ આદિ દરેક દેશમાં તેનું જેર સખત હતું. જેમ ગુજરાતમાં ખેમાદેરાણીએ તે વરસમાં લેકેને અન્નપાણી પુરાં પાડયાં હતાં તેવી રીતે જ સીંધ, કચ્છ, માળવા, પંજાબ, દક્ષિણ આદિ દેશમાં જગડુશાહે અન્ન પાણી પુરાં પાડવાની ઉદારતા દર્શાવી પિતાના ધનને સદુપયોગ કર્યો હતો. જગડુશાહ વિક્રમની ૧૪ મી સદીમાં વિદ્યમાન હતા. તેને જન્મ કચ્છ-ભદ્રેશ્વરમાં થયો હતો. તેના પિતાનું નામ સહા–સખા હતું અને માતાનું નામ ખેતી હતું. સોલ્હા પિતે બહુ ગરીબ હતો-એક વખતે અમુક નિમિત્તે તેને ખબર પડી કે તેના ઘરમાં ધન દાટેલું છે એટલે પિતે તે ધન કાઢી લીધું અને પિતાને દરિયડુંગર ભેદી નાખે. ત્યાર પછી થોડા સમયમાં ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડ્યો અને તેમાં અનેક મનુષ્ય અનાપાણી વિના મોતને શરણ થતાં ગયાં. જગડુને આ દેખી દયા આવે એ બનવા જોગ છે. તે વખતે તેણે દરેક દેશના રાજાઓને પિતાની ખાણમાં ભરેલું અન્ન આપ્યું અને તેમાં સિદ્ધના રાજ હમીરને ૧૨૦૦૦ મુડા અનાજ આપ્યું; ઉપનીના રાજા મદનવર્માને ૧૮૦૦૦ મુડા અનાજ આપ્યું; દીલ્હીના બાદશાહ મોજઊદીનને ૨૧૦૦૦ મુડા અનાજ આપ્યું; પ્રતાપસીહને ૩ર૦૦૦ મુડા અનાજ આપ્યું; કંદહારના મહારાજાને ૧૨૦૦૦ મુડા અને પાટણના રાજા વિમલદેવને ૮૦૦૦ મુડા ધાન્ય આપ્યું. આવી રીતે ૯૯૯૦૦૦-નવલાખ નવાણું હજાર મુડા ધાન્ય આપ્યું. તેની ઉદારતા હજી આટલેથી નથી અટકી. તેણે ૧૧૨ સાર્વજનિક દાનશાળા મંડાવી હતી. હરકોઈ આવે અને જમે. એમ કહેવાય છે કે દરરોજ લાખ મનુષ્યો અને લાભ લેતા હતા. તેણે ૧૮ કરોડ કમ્મ યાચકોને ભેટ આપ્યા હતા. આવી રીતે તે ભયંકર દુકાળમાં અનેક મનુષ્યને કોઈ પણ જાતને જાતિભેદ રાખ્યા સિવાય છૂટે હાથે દાન આપી તેણે તે વખતના “કુબેર”નું ગ્ય પદ મેળવ્યું હોય તેમાં નવાઈ નથી. આવી રીતે તેણે જૈન ધર્મને દીપાવવામાં પણ મણું નથી રાખી. તેણે ૧૦૮ જૈન મંદિર બંધાવ્યાં હતાં અને પવિત્ર તીર્થાધિરાજ સત્રુજયના ત્રણ વખત મહાન સંઘ કહાડી યાત્રા કરી હતી. તેણે ભશ્વરનું મહાન મંદિર પણ બંધાવ્યું હતું કે જેની કીર્તિ કલશને શેભાવી રહી છે. અત્યારે તે તે જગડુના ભદ્રેશ્વરનું જુનું નીશાન કે કંઈ પણ રહ્યું નથી. હજુ પણ કહેવાય છે કે નીચે બેતાં કેટલીક જુની હાથીદાંતની કારીગરી નીકળે છે. કાળની ગતિ વિષમ છે. ભલે જગડુ તે જીવત નથી છતાં તેની કીર્તિ જ્વલંતભાવે પ્રકાશી રહી છે. ધન્ય છે જગડુ તને અને તારા દેશને કે જેણે પિતાના ભૂગર્ભમાંથી તારા જેવાં નરરત્નો ઉત્પન્ન કર્યો. તા. ક આ લેખ લખાઈ રહ્યા પછી મને જગડુશાહનું એક વધુ સાર્વજનિક ઉપયોગી કાર્ય–જેની નોંધ મને કાઠિયાવાડ સર્વિસંગ્રહમાંથી મળી છે તે ખાસ ઉગી અને તેના જીવનમાં નવો પ્રકાશ પાડનાર હોવાથી હું અક્ષરશઃ તેને ઉતારે આપું છું. ૧ તે વખતનું ચલણી નાણું વિ. ૬. ૯. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy