SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૮ ) પંડિત સુખલાલજીનું ભાષણ. . ઉપસ’હાર---આ લેખમાં જૈત ન્યાયના વિકાસક્રમનુ` માત્ર દિગ્દર્શન અને તે પણ અધુરી રીતે કરાવવામાં આવ્યું છે. આ સ્થળે જૈત ન્યાયના વિકાસક તરીકે જે જે આચાર્યાંનાં નામ લેવામાં આવ્યાં છે, તેમેનાં જીવન, તેનેા સમય, તેની કાર્યાવિલ વગેરેના ઉલ્લેખ જરાયે નથી કર્યાં. તેવીજ રીતે તેએ!ના સબંધમાં જે કાંઇ થાડું ઘણું લખ્યું છે, તેની સાબીતી માટે ઉતારાઓ આપવાના લાભનુ પણ નિયંત્રણ કર્યુ છે. આ નિયંત્રણ કરવાનું કારણ જોઈતા અવકાશ અને સ્વાસ્થ્યના અભાવ એ એકજ છે. આચાર્યાંના જીવન આદિની વિગત એટલી બધી લાંબી છે કેતે આપતાં વિષયાંતર થઈ જવાય. તેથી જેઆ તે ત્રિષયના જિજ્ઞાસુ હોય તેઓની જાણ ખાતર એક છેવટે એવું પરિશિષ્ટ આપવામાં આવે છે કે, જેની અંદર ઉપર આવેલા આચાર્યાંના સંબંધમાં માહિતી આપનાર ગ્રંથો નાંધેલા છે અને તેએનું પ્રકાશિત થયેલુ કેટલુંક સાહિત્ય નાંધેલુ છે. એ સાહિત્ય અને એ ગ્રંથો જોવાથી તે તે આચાર્યાંના સંબધમાં મળતી આજ સુધીની માહિતી ઘણેભાગે કોઈપણ જાણી શકો. આ લેખમાં જૈત ન્યાયના પ્રણેતા અમુકજ વિદ્વાનેાના ઉલ્લેખ છે. બીજા ઘણાને છેડી દીધા છે. તેનું કારણ એ નથી કે તેએનેા જૈત ન્યાયના વિકાસમાં સ્વપ પણ હિસ્સા ન હોય; છતાં તેવા નાના મેટ: દરેક ગ્રંથકારનો ઉલ્લેખ કરતાં લેખનુ કલેવર કંટાળા ભરેલ રીતે વધી જાય તેથી જે વિદ્વાનાનુ` જૈન ન્યાયના વિકાસમાં થોડું છતાં વિશિષ્ટ સ્થાન મને જણાયું છે. તેનાજ ઉલ્લેખ કર્યો છે. માકીનાઓના નામનું બીજી એક પરિશિષ્ટ અંતમાં આપી દેવામાં આવે છે. આ લેખ સમાપ્ત કરતાં એક વાત તરફ વાચકોનું ધ્યાન ખેંચુ છું, તે આ— હિંદુસ્થાનના કે બહારના વિદ્વાના ગુજરાતના સાક્ષરોને એમ પૂછે કે ગુજરાતના વિદ્વાનાએ દ્વાર નિક સાહિત્ય રચ્યું છે ? અને રચ્યુ હોય તા કેવું અને કેટલું? આ પ્રશ્નના કોઇ પણ સાક્ષર હામાં અને પ્રામાણિક ઉત્તર આપી ગુજરાતનુ નાક રાખવા ઈચ્છે તે તેણે જૈન વાડ્મય તરફ સપ્રેમ દૃષ્ટિપાત કરવા જ પડશે. એવી સ્થિતિમાં ગુજરાતના દાર્શનિક સાહિત્યનું મુખ ઉજ્વલ કરવા ખાતર અને દાર્શનિક સાહિત્યની સેવામાં ગુજરાતનું વિશિષ્ટ સ્થાન જણાવવા માટે દરેક સાહિત્યપ્રેમી વિદ્વાનની એ ફરજ છે કે તેણે કેવળ સાહિત્યેાપાસનાની શુદ્વષ્ટિથી જૈન ન્યાય સાહિત્યના ગુજરાતીમાં સરલ અને વ્યવસ્થિત અનુવાદા કરી સર્વસાધારણ સુધી તેનેા ધેાધ પહોંચતા કરવા. જેનેાનુ આ સબધમાં એવડુ... ક બ્ય છે. તેઓએ તે સાંપ્રદાયિક મેાહથી પણ પેાતાના દાર્શનિક સાહિત્યને વિશિષ્ટ રૂપમાં અનુવાદિત કરી પ્રચારવાની આવશ્યકતા છે. Jain Education International સુખલાલ સધવી. ગુજરાત પુરાતત્ત્વ મંદિર—અમદાવાદ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy