SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૭) જૈન સાહિત્યની હિતાવહ દિશા. પરિશિષ્ટ. સાહિત્યની પરસ્પર અસર, ૧ જૈન સૂત્ર ગ્રંથમાં કલ્પસૂત્ર પણ ગણાય છે. પવિત્ર સૂત્રોમાં આ સૂત્ર અગ્રગણનીય એટલા માટે ગણાય છે કે આમાં શ્રી તીર્થકરોના સંક્ષિપ્ત પણ મૂળ ચરિત્ર છે. અને કયા વર્તનથી તેમણે કેવળજ્ઞાન ને મોક્ષને મહા આનંદ પ્રાપ્ત કર્યો હતે એ વતનરૂપ આચાર જેને સાધુસમાચારી કહે છે તે પણ તેમાં છે. આ પવિત્ર સૂત્રમાં ગણધરવાદ છે. તેમાં શ્રી મહાવીરસ્વામીએ ઇંદ્રભૂતિ નામના ગામગોત્રી વિદ્વાન બ્રાહ્મણને સંશય विज्ञान धन एव एतेभ्यः भूतेभ्यः समुत्थाय तान्येवानुविनश्यति न છેત્યાંજ્ઞાવર્તીતિ એ વેદ પાઠવડે દૂર કર્યો હતે. ૨ જૈન ગ્રંથ–પગબિન્દુ, ગદષ્ટિસમુચ્ચય, યોગવિંશિકા, ગશાસ્ત્ર, શતક, યોગસાર, સમાધિ શતક, પરમાત્મા પ્રકાશ, જ્ઞાનાંકુશ, સમભાવશતક, ધ્યાનશતક, ધ્યાનસાર, ધ્યાનદીપીકા, ધ્યાનવિચાર, અધ્યાત્મ ઉપનિષદ્ અધ્યાત્મબિન્દુ, અધ્યાત્મતરંગિણી, અધ્યાત્મ ગીતા–વિગેરે. ૩ પ્રથમ જ્યારે મેં આચારાંગ સૂત્ર અવલકર્યું ત્યારે મને તેમાં સમજણ પડી હતી નહી, પરંતુ જ્યારે Francis of Assisi નું ચરિત્ર વાંચ્યું કે આચારાંગસૂત્ર સમજાયું એટલું જ નહી, પણ એ ફ્રેંચ સાધુ ચરિત્ર કરતાં જૈની દીક્ષા મને કાંઇ ન્યૂન ન લાગી. કાન્સિસે જ્યારે બ્રહ્મચર્ય (Chastity), અકિંચનત્વ ( Poverty ), વિનય (Obedience) અને શ્રદ્ધાને ( Faith ) મુખ્ય ર્યા હતા ત્યારે જૈન સાધુના ચારિત્રમાં ઉપરના સગુણે ઉપરાંત અહિંસા, સત્ય વિગેરે બીજા પણ ગુણે ક્રિયાગત છે, અને કાળાનુસાર હાલ પણ ઘણેક અંશે યથાશક્તિ તે ગુણેનું સેવન થયા કરે છે. ૪ જેન સાહિત્ય પિતામાં રહેલા આત્મા સિવાય બીજા કોઈને જગતના કર્તા, ભેતા કે હર્તા માનતું જણાતું નથી, તથાપિ તે નાસ્તિક નથી, કારણકે પાણિની મુનિ કહે છે કે परलोकोऽस्तीति मतिर्यस्यास्तीति आस्तिकः । परलोको नास्तीति मतिर्यस्यास्तीति नास्तिकः । પરલેક છે એવું માનનાર આસ્તિક છે. અને એવું નહીં માનનાર નાસ્તિક છે. પ આદર્શ પુરૂષને જેનો શિલાકા પુરૂષ-મહા પુરૂષ ને યુગપ્રધાન અને ધર્મને પ્રભાવ વધારનારને જૈન સાહિત્યમાં પ્રભાવિક પુરૂષ ગણેલા છે. ૬ સમાજવાદના એક પ્રશ્નને નિવેડે જેનમાન્યતા દાખવી શકે એવું Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy