SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ જૈન સાહિત્યની હિતાવહ દિશા. (૨૫) કારણકે તેઓ જાણે છે કે વાર્તાને સાર કંઈ વાર્તામાં બનેલા બનાવે ઉપરજ અવલંબત નથી, પરંતુ કેવલી ભગવાન વાર્તાને અંતે જે રહસ્ય બતાવશે તેના ઉપરજ અવલંબે છે. આથી જેન લેખકે વાર્તાના પાત્રોને પૂરેપૂરી સ્વતંત્રતાથી ઘાત પ્રતિઘાત અને સુખ દુઃખમાં થઈને લઇ જાય છે. આખરે કેવલી ભગવાન આવી પાને પડેલા દુ:ખે ક્યા કયા દુષ્કર્મના ફળ છે તે સમજાવે છે અને પડદો ઉચકી જતાં અનંત પ્રકાશ પ્રાપ્ત થાય છે. જૈન લેખકોએ જેમ જુની પ્રચાલત લેકકથાઓમાં વિવિધ રંગ પૂર્યા છે તેમ ધર્મ પ્રચાર અને ધર્મદેશના માટે સિદ્ધાંતને દૃષ્ટિમાં રાખી ઘણુ ઘણુ નવી કથાઓ પણ રચી છે. જૈન સાહિત્યની અસર-જૈન સાહિત્યને પ્રભાવ કેવળ તેની સાંપ્રદાયિક સીમામાં જ સમાપ્ત નથી થતો. પોતાના પાડોશી સાહિત્ય ઉપર પણ તેણે અસર કરી છે. ડો. વેલર કહે છે કે જેને ધર્મ સંબંધી મારૂં જ્ઞાન પણ ઘણે અંશે બ્રાહ્મણોના શાસ્ત્રમાંથી જ આવ્યું છે. શ્રીમદ્ ભાગવદુમાં બુદ્ધ ભગવાનને જેમ વિનુના અવતાર માન્યા છે, તેમ પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવને પણ વિષ્ણુના અવતાર તરીકે ઓળખાવ્યા છે. યોગવાશિમાં રામ પોતાના ગુરુ શ્રી વશિષ્ઠને કહે છે કે – नाहं रामो न मे वाञ्छा, भावेषु च न मे मनः । शांतिमासितुमिच्छामि, स्वात्मनीव जिनो यथा ॥ શાન્તિપર્વના મોક્ષપર્વમાં પણ લખ્યું છે કે – एतदेवं च नैवं च, न चोभे नानुभे तथा। कमस्था विषयं ब्रुयुः, सत्त्वस्थाः समदर्शिनः ।। એ જ પ્રકારે જૈન સાહિત્ય પણ હિંદના સાહિત્યમાંથી ઘણું સારું લાગ્યું તે ઝીલવામાં સંકોચ નથી કર્યો. કાલીદાસના મેઘદત ઉપર કેટલાક જૈન કવિઓ મુગ્ધ થઈ ગયા છે અને તેમણે મેઘદૂતના અનુકરણમાં ઘણું સરસ કાવ્ય જેને સાહિત્યને ભેટ ધર્યા છે. મેઘદૂતના પ્રત્યેક કલાકના અંતીમ ચરણને લઈ અને કેટલાકમાં પ્રત્યેક ચરણને લઈ જૈન કવિઓએ સરલ કલ્પનાવૈભવ તથા ભાવાલાલિત્ય પ્રકટ કર્યા છે. કેટલાક વિદ્વાન જૈન લેખકેએ જૈનેતર ગ્રંથ ઉપર પિતાની વ્યાખ્યાઓ અને વૃત્તિઓ પણ રચી છે. આમ ધર્મસિદ્ધાંતમાં મત મતાંતર હોવા છતાં સાહિત્યમાં તે જૈન લેખકે એ ભેદભાવને એક કેરે રાખી એક ચિત્ત અને શુદ્ધ ભાવે સાહિત્યસાધના કરી છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy