SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પ૦ જનવિભાગે ત્યાર પછી તેમના શિષ્ય જિનવલ્લભસૂરિ થયા, તેમના પછી ૬૪ જોગણીને વશ કરનાર જિનદત્તસૂરિ થયા. તેના જિનચંદ્રસૂરિ, તેના પછી અનુક્રમે જિનપતિસૂરિ, જિનેશ્વરસૂરિ, જિનપ્રબેધરિ અને જિનચંદ્રસૂરિ થયા. જિનચંદ્રસૂરિના આદેશથી તેજ:પાલે શાંતિનાથનું બિંબ બનાવ્યું, તેના પછી જિનકુશલસૂરિ (ખરતરગચ્છની પટ્ટાવલિમાં ૪૩ મા.) ત્યાર પછી જિનપદ્મ, જિનલબ્ધિ, જિનચંદ, જિનદય, જિનરાજ, જિનભદ્ર અનુક્રમે થયા. આ પ૬ મા જિનભદ્રસૂરિએ જેસલમેર, જાબાલિપુર (જાહેર), દેવગિરિ, અહિપુર (નાગપુર નાગર ), અને પાટણમાં પુસ્તક ભંડારો કરાવ્યા. (પટ્ટધર પદ સં. ૧૪૭૫ અને મરણ સં. ૧૫૧૪ ). ત્યાર પછી ક્રમે જિનચંદ્ર, જિનસમુદ, જિનમાણિજ્ય થયા. જિનમાણિક્યના જિનચંદ્રસૂરિ થયા કે જે હાલ વિદ્યમાન છે. તે જિનચંદ્રસૂરિને અકબર બાદશાહે આનંદથી “યુગપ્રધાન” પદ આપ્યું.” ઉક્ત (૬૨ માં) જિનચંદ્રસૂરિનાર હસ્તદીક્ષિત મુખ્ય શિષ્ય સકલચંદ્ર જોખમદાર આચાર્યોને વચ્ચે પડ્યા વગર ચાલે નહિ, તેથી તપાગચ્છના વિજયદાનસૂરિએ ઉકા કુમતિનંદકુંદાલ ગ્રંથ સભાસમક્ષ પાણીમાં બોળાવી દીધો હતો અને તે ગ્રંથની નકલ કાઈની પણ પાસે હોય તે, તે અપ્રમાણ ગ્રંથ છે માટે તેમાંનું કથન કેઈએ પ્રમાણભૂત માનવું નહિ, એવું જાહેર કર્યું હતું. ખરતરગચ્છવાળાએ પિતાના મતનું પ્રતિપાદન કરાવવા ભગિરથ પ્રયત્ન સેવ્યો હતો એ વાતના પ્રમાણમાં જણાવવાનું કે આપણું નાયક સમયસુંદર ઉપાધ્યાયજીના સં. ૧૬૭૨ માં રચેલા સામાચારી શતકમાં સં. ૧૬૭ માં પાટણમાં થયેલા એક પ્રમાણપત્રની નકલ આપેલી છે કે જેમાં એવી હકીક્ત છે કે અભયદેવસૂરિ ખરતરગચ્છમાં થયેલા છે એ વાત પાટણના ૮૪ ગાવાળા માને છે, અને એ પ્રમાણપત્ર સાચું જણાય છે, અને તેને હેતુ ઉપરને કલહ-વાદ શમાવવા અર્થે હતા. ૧૨. જિનચંદરિ-ગોત્ર રીડ, પિતા શ્રીવંત, માતા થિયાદેવી. જ્ઞાતિ વણિક, તિમરી (તીવરી-જોધપુર રાજ્ય) ની પાસે આવેલા વલી ગામમાં સં. ૧૫૮૫ માં જન્મ. માત્ર નવ વર્ષની ઉમરે સં૦ ૧૬૦૪ માં જન સાધુની દીક્ષા. ૧૭ વર્ષની વયે સં૦ ૧૬ ૧૨ ભાદપદ સુદિ નવમી ગુરુવારે જેસલમેરમાં સૂરિપદ. તેમણે અકબર બાદશાહને જૈન ધર્મને બોધ આપ્યો હતો અને બાદશાહે યુગમાં પ્રધાન પુરુષ સુચક “યુગપ્રધાન” પદ આપ્યું હતું. એમ કહેવાય છે કે બાદશાહને જૈનધર્મ-જૈનધર્મ પ્રશંસક બનાવ્યો હતો (પ્રાપિતા ન ઢા ઢવાચ: પતિનાદિ મુદી-જિનલાભસૂરિના સં. ૧૮૩૩ના આત્મપ્રબોધની પ્રશસ્તિ ). તેમને સકલચંદ્ર ઉપાધ્યાય ઉપરાન્ત ૯૫ શિષ્યો હતા-તેમાં મુખ્ય સમયરાજ, મહિમારાજ, ધર્મ, નિધાન, રત્નનિધાન, જ્ઞાનવિમલ વિગેરે હતા. તેમને સ્વર્ગવાસ વેનાત (બિલાડા-મારવાડ) સં. ૧૯૭૦ ના અશ્વિન વદિ બીજના દિને થશે. (જુઓ ઇડિયન ઍટિવરીમાં આપેલ ખરતર ગચ્છની પાવલિ-મારું ભાષાતર, સનાતન જનના ૧૯૦૭ ના જુલાઈના અંકમાં. વધુ માટે જુઓ રત્નસાગર ભાગ ૨ જે પૃ. ૧૨૫) તેમણે પિતાની પાસે ગેલી નામની શ્રાવિકાએ સં. ૧૬૩૩ ફાવદ ૫ ને દિને બાર વ્રત સ્વેચ્છા પ્રમાણે ગ્રહણ કર્યા તે સંબંધી “ઇચ્છા પરિણામ ટિપ્પનક’ યા બાર વ્રતના રાસ ભાષામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005198
Book TitleJain Sahitya Sambandhi Lekhono Sangraha
Original Sutra AuthorN/A
AuthorJain Dharma Prasarak Sabha Bhavnagar
PublisherJain Dharm Prasarak Sabha
Publication Year
Total Pages206
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy