________________
પણ દેખાતું હતું. અને પર્વતમાળાને વીંધીને પાર જવાને કોઈ માર્ગ હોય તો તે પણ એ ચીરામાં થઈને જ હોઈ શકે. પેલા પીછો પકડનારાને પણ એ જ ખ્યાલ આવે એને ડર ખરો જ. પરંતુ હવે સાથેની મશકમાં પાણી જ રહ્યું ન હતું, એટલે એ તરફ ગયા વિના છૂટકે જ ન હતો. થાકેલાં હાંફતાં એ દંપતીએ તે તરફ પોતાનાં ધીમાં પગલાં મક્કમપણે ભરવા માંડયાં.
પર્વતમાં ઊંચે મૂકતા શિખરની નીચે એક ઝરણું છમછમ કરતું વહેતું હતું. ઉનાળામાં ઓગળતા રહ્યાહ્યા બરફના પાણીથી તેમાં વધારો થત; અવારનવાર તેને વહેળે છેક જ સુકાઈ જતો. પણ આ ઝરણાના મૂળ આગળ પાણી ચાલુ બહાર નીકળ્યા કરતું અને તેથી આસપાસ થોડો ભેજ અને વનસ્પતિ કાયમ રહેતાં. | માઈલોથી પ્રાણીઓ રાતને વખતે ત્યાં પાણી પીવા આવતાં અને એકબીજાને આધારે જીવનાર જળચર-સ્થળચર-નભચર જીવેનું એક સંસ્થાન ત્યાં ખડું થયું હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org