________________
પિતાનાં પગલાં ભૂંસવા તેણે પ્રયત્ન ન કર્યો. સંતાવાની. જગાની આસપાસ હવે ઘણી નિશાનીઓ થઈ ગઈ હતી. થોડાં ડાળઝાંખરાં તેણે વાળેલાં ભાગેલાં, તથા જમીન જરા ખેતરેલી – એ બધું હવે શી રીતે છુપાવવું? એટલે હવે દૂર ભાગી છૂટવું એ જ એક રસ્ત રહેતો હતો. જુઆના પાસે જઈ તે બલ્ય,
પગેરું કાઢનારા શિકારીઓ પાછળ પડ્યા છે; ચાલ ભાગીએ જલદી.”
પણ આટલું બોલ્યા પછી તરત તેને મેં ઉપર હતાશા અને અસહાયતાની ઘેરી છાયા ફરી વળી. તે બે , કંઈ નથી જવું; ભલે એ લોકે મને પકડી જાય.”
પણ જુઆના એકદમ ઊઠીને બેઠી થઈ ગઈ. તે બેલી, “તમારી પાસે મોતી છે. તેઓ તમને સાથે જીવતા લઈ જાય એમ તમે માનો છે ? તેમને મેતી જોઈએ છે. તમને જીવતા સાથે લઈ જાય તો મેતી. તેમને શી રીતે મળે ?”
જુઆનાના શબ્દો સાંભળતાં જ કિનના પગમાં જેર પાછું આવ્યું. તે બોલ્યો, “ચાલ, આપણે પહાડોમાં ચાલ્યાં જઈએ; કદાચ પહાડોમાં જવાથી, આપણે આપણે પીછો છોડાવી શકીશું.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org