________________
“ના, મોટા ભાઈ એ મેતી તે મારે જીવ બની રહ્યું છે. એ મોતીને હું ફેંકી દઉં તે પછી મારામાં કશું જીવતર જ નહીં રહે. ભગવાન તમારું પણ ભલું કરે, મેટા ભાઈ.”
કિન-દંપતી ચુપકીથી ચાલ્યાં જતાં હતાં. કિને જરા ઉતાવળે ચાલતું હતું અને કેટટોને ઊંચકીને જુઆના પણ ઠેકડા ભરતી સાથે થવા જોર કરતી હતી. કોઈની નજરે ન પડાય તે રીતે તેઓ જતાં હતાં અને કેઈ તેમની નજરે પડ્યું પણ નહિ. પવન હવે પડી ગયું હતું, એટલે પિતાનું પગેરું પાછળ ન રહે તે માટે ગાડાના ચીલામાં જ પગ મૂકીને કિને ચાલતે હતે. જુઆના પણ તેમ જ ચાલતી હતી. ખ્યાલ
એ હતું કે, વહેલી સવારે પસાર થનારા ગાડાના પિડાથી બધાં પગલાં આપોઆપ ભુંસાઈ જશે.
આખી રાત તેઓ એ પ્રમાણે એકસરખા વેગથી ચાલ્યાં. સવારના પ્રકાશ થયે એટલે કિએ દિવસ દરમ્યાન છુપાઈ રહેવા માટે આસપાસ નજર કરી. થોડે દૂર એક ઝાડી આગળ જોઈતી જગા મળી ગઈ. કિનેએ જુઆનાને ત્યાં બેસાડી અને પછી એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org