________________
કિને બેહશીમાં જ આમ તેમ આળોટતો હતો, અને તેના ગળામાંથી ઊંહકારાને અવાજ નીકળતા હતો. જુઆના એક ક્ષણમાં બધું સમજી ગઈ કે, હવે તે લોકોના જીવનનો એક અધ્યાય પૂરે થાય છે – તેમણે હવે નવા જીવન તરફ આગળ ધપ્યા વિના છૂટકે જ નથી. કારણ કે, પેલે બીજે માણસ ખતમ થઈ ગયે હતો અને કિનની લેહી ખરડાયેલી કટાર બતાવી આપતી હતી કે, કોને હાથે તે માર્યો ગયે હતો. અત્યાર સુધી જુઆના મોતી મળતા પહેલાંના શાંત જીવનને પાછું મેળવવા ઇચ્છતી હતી, પણ હવે તેને લાગ્યું કે, નાસી છૂટવા સિવાય બીજો માર્ગ જ એમને માટે રહ્યો નથી,
તે પિતાની પીડા ભૂલીને હવે ઝટપટ કામ કરવા લાગી. પેલા મડદાને તેણે કોઈની નજર ન પડે તે રીતે એકદમ એક બાજુ આડમાં સંતાડી દીધું. પછી તેણે કિન પાસે જઈ તેના ઘા દેવા માંડયા. તેને ધીમે ધીમે ભાન આવવા લાગ્યું.
એ લોકો મારું મોતી પડાવી ગયા; મારું મતી હંમેશને માટે મારા હાથમાંથી ગયું.” .
જુઆનાએ તેને બાળકની પેઠે શાંત પાડવા પ્રયત્ન કર્યો. તેણે તેને ધીમેથી મોતી બતાવીને કહ્યું, “તમારું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org