________________
પ્રાણી ફરતું હોય તે વખતે અકસ્માતથી રેતીનો એક કણ તેના નરમ સ્નાયુઓની કરચલીઓમાં ભરાઈ જાય. તરત તેનું શરીર એ કણને સ્નાયુમાં ઊંડે ખૂંચતે અટકાવવા, તેની આસપાસ એક પ્રકારનું સુંવાળું સિમેંટ જેવું પડ ચેપડવા માંડે. એક વખત આ પ્રક્રિયા શરૂ થઈ કે તે થંભે જ નહિ. સિકાંઓથી માણસે ડૂબકી લગાવી લગાવીને એ પ્રાણીઓને તેમની છિલીઓના ઢાંકણુ સમેત તળિયાના ખડકે ઉપરથી તોડી લાવતા, અને તેમને ચીરી તેમના શરીરમાં ક્યાંય મોતી બંધાય છે કે નહિ તે જોતાં.
કિનેએ સાથે આણેલાં બે દેરડાંમાંથી એકનો છેડે પગ ભેરવી શકાય તે ગાળિયે કાઢીને વજનિયા પથ્થરને બાંધ્યું અને બીજા દેરડાને છેડે છાબડી બાંધી. પછી પિતાનાં કપડાં હેડીમાં મૂકી, તેણે પથ્થર અને છાબડી સાથે ગાતું લગાવ્યું.
કિની જાતિના લેકોએ “વિશ્વ-પ્રકાશ' નામે એક અનોખા મોતીના ગુણગાન વિશે પણ એક સ્તોત્ર રચ્યું હતું. કિનના રૂંધાયેલા અંતરમાં (તથા સપાટી ઉપર મછવામાં બેઠેલી જુઆનાના અંતરમાં પણ) એ સ્તોત્ર અત્યારે ગુંજતું હતું.
.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org