________________
એવું એક મોતી તે દેશના વતનીના હાથમાં આવત, ગોરાઓના સંપર્ક તેના મનમાં તૃષ્ણાની આગ કેવી રીતે ભભૂકી ઊઠી, અને તેણે તેનું ઘર-કુટુંબ-જીવન ભસ્મીભૂત કર્યા, તેની આ હૃદયંગમ લોકકથા છે. લેકકથામાં હોતા બધા ગુણે તેમાં છે. એ કથા લેકીને અમુક હિતોપદેશ ઠસાવવા અર્થે છે, તેમ જ તેમાં તે જાતની સીધીસાદી સરળતા પણ છે. પ્રસિદ્ધ અમેરિકન લેખક જૈન સ્ટાઈનબૅકને કસબી હાથ તેના ઉપર ફર્યો છે એ ખરું, પરંતુ તેણે તેને આધુનિક વાચકને ગમી શકે એવા ઘાટમાં ઘડી આપી છે એટલું જ. એ ચેપડીને આ ટૂંકો છાયાનુવાદ છે.
લોકકથાના રસિયા આપ સૌને તો તે આપણી કોઈ દૂર ચાલી ગયેલી અને પાછી આવેલી સગી હોય, એમ જ લાગશે. ગાંધી જયંતી,
નેપાળદાસ જીવાભાઈ પટેલ ૨-૧૦-'૧૨
તા. ક. “પર્લ'ના લેખક જોન સ્ટાઈનબૅકને ૧૯૬૨ના વર્ષનું સાહિત્ય માટેનું નોબલ ઈનામ એનાયત થયું છે, એવી જાહેરાત તા. ૨૫-૧૦-'૧૨ ના રોજ થઈ છે, એ અત્રે નેધતાં આનંદ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org