________________
ધોરી માર્ગો તથા પવનવેગે દેડતા કાસદ વડે ચલાવાતો સંદેશ-વ્યવહાર એ આજે પણ સૌ કોઈને અચંબામાં ગરકાવ કરી દે છે.
મોતીની માયા” એ કથાના દેશ ઉપર ગોરાઓને ખેંચી લાવનાર તે એ દેશના સુવર્ણની માયા હતી. આ લેકે
ખંડ-પોલાદને નહોતા જાણતા, પણ સુવર્ણ-ધાતુના તો - સ્વામી હતા. ગોરાઓએ તેમને જીતીને તેમનું સોનું વહાણો - ભરી ભરીને યુરોપમાં ઠાલવ્યું. તે વહાણ લૂંટનારા અંગ્રેજ ચાંચિયાઓ પણ એનાથી તાવંત થઈ ગયા. ‘યંત્રોદ્યોગ માટે જોઈતી મૂડી ઈગ્લેંડે એક બાજુ સ્પેનનાં આ સેનું ભરેલાં વહાણે લૂંટીને તે બીજી બાજુ પ્લાસીના યુદ્ધ પછી હિંદુસ્તાનનું ધન ઘસડી આણુને જ ઊભી કરી હતી, તે તે ઈતિહાસને જાણીતી વાત છે.
પણ એ આડવાત અહીં એટલા માટે જણાવી કે, મય લેકિન દેશની લૂંટ અને ભારતની લૂંટને એ ઇતિહાસ એ રીતે પણ ભેગો જોવા-તપાસવા જેવો છે.
પણ મૂળ વાત ઉપર આવીએ. આ વતનીઓનું સોનું લૂંટાઈ ગયા પછી અને તેઓ કાળી ગુલામીમાં સબડતા થયા પછી છેક જ કંગાળ દશામાં આવી ગયા. પછીના ભાગમાં તેમના દરિયાકિનારે અમુક ભાગમાંથી મળી આવતી મેતીવાળી છિપલીઓનું આકર્ષણ એ દેશ ઉપર ગોરાઓની પકડનું એક મુખ્ય કારણ બની રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org