________________
સમય વર્તીને એક સુધારે આવશ્યક હતો. આ ગ્રંચને આખો ને આખે ગુજરાતીમાં ઉતારવાનું બરાબર ન થાય : એમ કરવાની જરૂર પણ નથી. એટલે, ઉપર કહેલા રસબીજને સાચવીને સાર કાઢી આપવો એ જ આવશ્યક અને ઉપાગી છે. એ કામને માટે ભાઈ ગેપાળદાસ કસાયેલા હાથવાળા ગણાય. તેમણે મૂળ મોટા કદનાં ને ઝીણું અક્ષરનાં લગભગ ૬૭૫ પાનનો સાર માત્ર ૨૦૦ અને તેય નાના કદનાં પાનાંમાં આપી દીધું છે, એ વાચકને માટે ઉમદા સવડ કહેવાય. સળંગ વાંચીએ તે પણ મજા પડે એવી એની પ્રવાહિતા છે. લૂખા આંકડા આપ્યા છે; પણ તે એક દુઃખકથા કહેતા હાઈ કરુણપ્રચુર બની જાય છે ને તેથી વાચકને કઠતા નથી. પુસ્તકને અંતે, શ્રી. નગીનદાસ પારેખે તૈયાર કરેલું સ્વ. દાદાભાઈનું ટૂંકું જીવનચરિત જેડીને ગ્રંથની ઉપયોગિતા વધારવામાં આવી છે, એ પણ આવકારપાત્ર છે. ડિમ્બીનું અને આ બે અર્થશાસ્ત્રનાં પુસ્તકે ગુજરાતીમાં ઉતારવાથી વાચક એ પણ જોઈ શકશે કે, તેમની અંગ્રેજી પરિભાષાને અનુવાદક સાદા લાગતા શબ્દો દ્વારા, કશી લિષ્ટતા વગર, કેવી સહજતાથી પહોંચી વળી શકયા છે. આશા છે કે આ પુસ્તક પણ ડિબીના ગ્રંથ પેઠે આવકાર પામશે. ગૂજરાત વિદ્યાપીઠ
મગનભાઈ દેસાઈ ૧૯-૧૧-'૩૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org