________________
૨૦૦
હિંદુસ્તાનની ગરીબાઈ સ્વરાજ્ય મેળવો, કે જેથી આજે જે લાખો માણસ દારિદ્યથી, ભૂખમરાથી અને મહામારીથી મરણ પામે છે, અને જે કરોડે માણસે પૂરતા અન્નને અભાવે ભૂખમરે વેઠે છે, તેઓ બચવા પામે, અને હિંદ ફરી એક વાર જગતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃત પ્રજાઓમાં પોતાનું પુરાણ કાળનું ગૌરવવંતું સ્થાન પ્રાપ્ત કરે.”
આ મહાસભાના પ્રમુખ તરીકેનું કામ બજાવવામાં પહેલા અમે એમના ૮૨ વર્ષની વયના શરીર ઉપર અસર કરી હતી. આથી જેકે એઓ મહાસભા પૂરી થતાં લંડન ઊપડી ગયા હતા છતાં ત્યાં તબિયત બગડતાં ડાકટરેએ એમને પાછા હિંદ પહોંચી જવાની સલાહ આપી. એ મુજબ એઓ પાછા હિંદ આવી રહ્યા અને મુંબઈ પાસે વરસેવામાં નિવૃત્ત જીવન ગાળવા લાગ્યા.
આ પછી તેઓ રાજકારણમાં સક્રિય ભાગ લેતા નહોતા પણ દેશ અને દુનિયાની હિલચાલ ઉપર નજર રાખી દર વરસે મહાસભાને પોતાનો સંદેશ મોકલ્યા કરતા હતા. વરસમાં એક વાર આ દેશ એમની વરસગાંઠને દિવસે એમના ગુણગાનથી અને એમના દીર્ધાયુષની પ્રાર્થનાથી ગાજી રહેતા અને એ પણ એ દિવસે પોતાના દેશબંધુઓને કંઈક નો સંદેશો આપતા.
એમની ૯૧મી વરસગાંઠ આખા દેશમાં ભારે સમારોહ પૂર્વક ઉજવાઈ હતી. એ પછી એમણે પોતાનો કીમતી ગ્રંથસંગ્રહ બે પ્રેસિડન્સી એસોસિયેશનને ભેટ આપી દીધે. ઈ. સ. ૧૯૧૬માં મુંબઈ યુનિવર્સિટીએ એમને ડોકટર ઑફ લોઝની માનદ પદવીની એનાયત કરી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org