________________
સ્વર દાદાભાઈનું જીવનચરિત્ર -ઇલંડ જવા ઊપડી ગયા એ ધારાસભામાં તે લાંબે વખત રહી શક્યા નહિ. ઈ. સ. ૧૮૮૫માં મુંબઈ ખાતે મળેલી આપણું પહેલી રાષ્ટ્રીય મહાસભાના કામકાજમાં એમણે ઉત્સાહભેર ભાગ લીધો હતો.
- દાદાભાઈ જ્યારે ઇંગ્લડ પહોંચ્યા ત્યારે ત્યાં પાર્લમેંટની ચૂંટણીની ધમાલ ચાલુ હતી અને ત્યાંના લિબરલ પક્ષે એમને પણ પોતાના એક ઉમેદવાર તરીકે સ્વીકાર્યા હતા. પણ તે વખતે આયર્લેન્ડને હોમરૂલ આપવાના પ્રશ્ન ઉપર જ ચૂંટણીનો જંગ ખેલાયો હતો અને લોકમત લિબરલેની વિરુદ્ધ હતો એટલે લિબરલે ફાવ્યા નહિ અને દાદાભાઈ પણ ચૂંટાવા પામ્યા નાહ. આમ છતાં એમને ૧૯૫૦ જેટલા મત મળ્યા એ વાત પણ સૌનું ખૂબ ધ્યાન ખેંચ્યું.
કલકત્તા ખાતે મળનાર બીજી રાષ્ટ્રીય મહાસભાના પ્રમુખ તરીકે દાદાભાઈની પસંદગી થઈ. એટલે ૧૮૮૬ના અંતમાં એઓ હિદુસ્તાન આવ્યા. મહાસભાનું કામ પતાવ્યા પછી એમણે પબ્લિક સર્વિસ કમિશન આગળ જુબાની આપી અને ત્યાર પછી ફરી વાર પાર્લમેંટમાં ચૂંટાવાના પ્રયત્ન કરવા એઓ ઇંગ્લંડ ઊપડી ગયા. પાંચ પાંચ વરસના ચાલુ પરિશ્રમને પરિણામે ઈ. સ. ૧૮૯૨માં એઓ સેન્ટ્રલ ફિન્સબરીના પ્રતિનિધિ તરીકે પાર્લમેંટમાં ચૂંટાયા. એમના આ વિજયના સમાચારથી આખા દેશમાં ભારે આનંદ અને ઉત્સાહનું મોજું ફરી વળ્યું.
ઈ. સ. ૧૮૯રના ઓગસ્ટની ૯મી તારીખે એમણે પાર્લમેંટમાં પિતાનું પહેલવહેલું ભાષણ કર્યું અને તેની આખી સભા ઉપર સારી અસર પડી. ત્યારથી એમણે હિંદના હિતમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org